કાશ્મીરમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. આ સાથે જ કેટલાક સ્થળો પર કલમ-144 લગાવવામાં આવી છે. તથા ઇન્ટરનેટ-બ્રોડબેન્ડ બંધ, શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે કેટલાક સ્થળે કર્ફ્યુ પણ જાહેર કરવામાં આવ્યો છે. ઇન્ટરનેટ સેવા બંધ કર્યા બાદ અધિકારીઓને સેટેલાઇટ ફોન અપાયા છે. મહેબૂબાએ નિવેદન આપતા કહ્યું કે, કાલે શું થશે. આ એક લાંબી રાત છે.
કશ્મીરી પંડિત જમ્મુ તરફ ફરી રહ્યા છે
ઘાટીથી કશ્મીરી પંડિત ફરી રહ્યા છે. 100થી 200 લોકો રાત્રીના જમ્મુ તરફ જઇ રહ્યા છે. તેઓ કાશ્મીરી ઘાટીમાં નોકરી કરી રહ્યા છે. જેથી તેઓ ત્યાં વસવાટ કરે છે. જેથી આ તણાવની સ્થિતિને લઇને તેઓ ઘાટી છોડીને જમ્મુ તરફ જઇ રહ્યા છે. કેટલાક જમ્મુ પહોંચી ચૂક્યા છે. જોકે, સરકાર દ્વારા તેમને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવી છે.
સજ્જાદ લોન પણ નજરકેદ
પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ લોનને પણ નજરકેદ કરવામાં આવ્યા છે.
ઓમર અબ્દુલ્લાએ કહ્યું- શાંતિ જાળવી રાખો
ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યું કે, હિંસાથી માત્ર તે લોકોના હાથોમાં ખેલીશું જે ભલાઇ નથી ઇચ્છતા. શાંતિની સાથે રહો અને ઇશ્વર તમારી સાથે રહે.
Violence will only play in to the hands of those who do not have the best interests of the state in mind. This wasn’t the India J&K acceded to but I’m not quite ready to give up hope yet. Let calm heads prevail. God be with you all.
So we can debunk the stories that were being fed to the channels about everything that’s been happening in Kashmir over the last few days, including the yatra stoppage, happening because of Pakistan. https://t.co/1vn4qDabfw
I believe I’m being placed under house arrest from midnight tonight & the process has already started for other mainstream leaders. No way of knowing if this is true but if it is then I’ll see all of you on the other side of whatever is in store. Allah save us 🙏🏼
કાશ્મીરમાં તણાવ વચ્ચે, રવિવારે નેશનલ કોન્ફ્રેન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાના નિવાસ સ્થળે સર્વપક્ષીય બેઠક મળી હતી. બેઠકમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) ના પ્રમુખ મહેબુબા મુફ્તી પણ જોડાયા હતા.
આ બેઠક જમ્મુ-કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિને કેન્દ્રિત કરી હતી, જેમાં વિશેષ દરજ્જાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ ફારૂક અબ્દુલ્લાએ મીડિયાને સંબોધન કરતાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરની વિશેષ દરજ્જો કોઈપણ પાસામાં નાબૂદ થવો જોઈએ નહીં.
Hearing reports about internet being snapped soon including cellular coverage. Curfew passes being issued too. God knows what awaits us tomorrow. It’s going to be a long night.
ખીણની શાંતિમાં ખલેલ પડે તેવું કોઈ પગલું ન લે : ફારૂક અબ્દુલ્લા
ફારૂક અબ્દુલ્લાએ મીડિયાને જણાવ્યું હતું કે, અમે ભારતના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને અપીલ કરીએ છીએ કે ખીણની શાંતિમાં ખલેલ પડે તેવું કોઈ પગલું ન લે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સેનાની હાજરીથી લોકોમાં ભય છે અને આ પહેલા ક્યારેય અમરનાથ યાત્રા રદ કરવામાં આવી નથી.
જો કે, તેમણે ખીણના લોકોને શાંતિ અને ધૈર્ય રાખવાની સલાહ આપી હતી. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે તમામ પક્ષોએ સર્વસંમતિથી નિર્ણય લીધો કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની વિશેષ દરજ્જો તેની ઓળખ અને સ્વાયત્તતા બચાવવા માટે એક થશે, પછી ભલે તે કોઈપણ હુમલો કરે અથવા અન્ય કંઈપણ.
National Conference leader Farooq Abdullah after an All Party meet in Srinagar: I appeal to both the countries, India & Pakistan not to take any step that may accelerate the tension between the two countries. pic.twitter.com/9ay7E5v8nq
Srinagar: Leaders of political parties of Jammu and Kashmir gather at the residence of National Conference leader Farooq Abdullah's residence for an All Party meet. pic.twitter.com/rJr76jDMsH
નેશનલ કોન્ફ્રેન્સના નેતા ઓમર અબ્દુલ્લાને પણ નજરકેદ થવાનો ભય લાગી રહ્યો છે. તેમણે એક ટ્વીટ કરીને કરી હતી. તેમણે લખ્યું કે મને લાગે છે કે મને આજે મધ્યરાત્રીથી નજકકેદ કરવામાં આવશે અને તમામ રાજકીય પાર્ટીના નેતાઓ માટે પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે ગૃહમંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કોઇને હજી સુધી નજર કેદ કરવામાં આવ્યા નથી. અમુક પ્રકારના પગલા માત્ર અને માત્ર સુરક્ષાના કારણોસર લેવાયા હોવાનું મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે.