શ્રીનગર શહેરના ઝકુરા વિસ્તારમાં શનિવારે વહેલી સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા.
શ્રીનગર શહેરના ઝકુરા વિસ્તારમાં શનિવારે વહેલી સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ લશ્કરે એ તૈયબા અને ટીઆરએફના સભ્યો હતા. તેમની પાસેથી અભિયાન અંતર્ગત પોલીસને બે પિસ્તૌલ અને કેટલીય વાંધાજનક સામગ્રી મળી આવી છે.
તો વળી માર્યા ગયેલા આતંકીઓમાંથી એકની ઓળખાણ ઈખલાક હાઝમ તરીકે થઈ છે. તો વળી અનંતનાગના હસનપોરામાં એચસી અલી મોહમ્મદની હાલમાં જ થયેલી હત્યામાં શામેલ હતો.
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન ઝડપથી આગળ વધી રહ્યું છે, જેથી ઘાટીમાં શાંતિ વ્યવસ્થા કાયમ કરી શકાય. હાલમાં જ ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં કલમ 370ને હટાવ્યા બાદ અત્યાર સુધીમાં 4369 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ સમયગાળામાં કેન્દ્રશાસિત પ્રદેશમાં 541 આતંકી ઘટનાઓ નોંધાઈ હતી.
સેનાએ લશ્કરના એક આતંકીની ધરપકડ કરી
તો વળી ગત 3 ફેબ્રુઆરીએ ઉત્તરી કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં પોલીસ અને સેનાએ લશ્કરના એક આતંકીને ધરપકડ કર્યો હતો. આતંકીના કબ્જામાંથી હથિયાર અને દારૂગોળા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ધરપકડ બાંદીપોરાના ચંદરગીર હાઝિન વિસ્તારમાંથી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસ દરમિયાન તેણે પોતાની ઓળખાણ શબ્બીર અહમદ ડાર તરીકે કરી છે.