પુલવામામાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાબળની કાર્યવાહીમાં 2 આતંકીઓના મોત થયા છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
પુલવામામાં એન્કાઉન્ટર
સુરક્ષાબળો સાથે આતંકવાદીઓનો થયો સામનો
2 આતંકવાદીઓના થયા મોત
જમ્મૂ કાશ્મીરના પુલવામામાં શનિવારે વહેલી સવારે આતંકીઓ અને સુરરક્ષાબળમાં એન્કાઉન્ટરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં 2 આતંકવાદીના મોત થયા છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહયું છે. કાશ્મીર ઝોનની પોલિસના આધઆરે 2 આતંકવાદીના એન્કાઉન્ટમાં મોત થવાના સમાચાર આવ્યા છે. તેમની ઓળખ હજુ સુધી થઈ નથી. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર ડાચીગામ જંગલની પાસે થયું છે.
#UPDATE | Two unidentified terrorists were neutralized. Search operation underway: Kashmir Zone Police
The exact location of the encounter is between Namibian & Marsar, general area of Dachigam forest, Kashmir Zone Police said
આતંકીઓના છૂપાયાની સૂચના બાદ હાથ ધરાયું ઓપરેશન
ઉલ્લેખનીય છે કે આંતકીઓના છૂપાયા હોવાની સૂચના મળ્યા બાદ સુરક્ષાબળોએ સ્થળ પર પહોંચીને વિસ્તારને ઘેરી લીધો. અહીં તેઓએ આતંકીઓને સરેન્ડર કરવા કહ્યું પણ તેઓ માન્યા નહીં અને ફાયરિંગ કર્યું. સુરક્ષા બળોએ જવાબી કાર્યવાહી કરી અને 2 આતંકીઓના મોત નીપજ્યા છે.
કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાની કોશિશ
ઉલ્લેખનીય છે કે ઘાટીમાં શાંતિ અને અહીં થઈ રહેલા ચારેતરફના વિકાસથી આતંકીઓ પરેશાન છે. કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. 24 જુલાઈએ પણ સુરક્ષાબળોએ જમ્મૂ કાશ્મીરના બાંદીપોરામાં 2 આતંકીઓને પણ મોતને ઘાટ ઉતાર્યા છે. આ એન્કાઉન્ટર શોકબાબાના જંગલમાં કરાયું હતું.