નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, જમ્મુ-કશ્મીરમાં અલચી (લેહ) થી 186 કિમી દૂર ઉત્તરમાં આજે સવારનાં 7:29 કલાકે 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેનાં લીધે આસપાસનાં વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.
An earthquake of magnitude 4.3 occurred at around 7:29am, 186km North of Alchi (Leh), Jammu & Kashmir, today: National Center for Seismology pic.twitter.com/6CxZ6GH4hr
ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં અવારનવાર આ રીતે ભૂકંપના આંચકાઓ અનુભવાતા રહે છે. ત્યારે આજે ફરી 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવતા ઉત્તર ભારત એટલે કે જમ્મુ-કશ્મીરની ધરા ધ્રુજી ઉઠી છે. લેહથી 186 કિમી દૂર ઉત્તરમાં સવારનાં 7:29 કલાકે આ આંચકા અનુભવાયા હતાં.
સોમવારે પણ 12:14 વાગ્યે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતાં
અહીં સોમવારે પણ 12:14 વાગ્યે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતાં. જેમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 નોંધાઇ હતી. મંડીની સાથે તેની આસપાસના વિસ્તારોમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનની નીચે 5 કિમી ઊંડે હતું. આ ભૂકંપ પહેલાં શુક્રવારે ગુજરાતના દ્વારકા નજીક પણ 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યાં ભૂકંપનું કેન્દ્ર ગુજરાતના દ્વારકાથી 556 કિમી પશ્ચિમમાં હતું. ભૂકંપ ભારતીય સમયાનુસાર બપોરે 12.37 કલાકે સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
શું તમે જાણો છો કે ભૂકંપ કેમ આવે છે ?
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. આવામાં આજના EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?
જાણો ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?
7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.
0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.
8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.