આજે સતત બીજા દિવસે ફરી જમ્મુ કાશ્મીરમાં વહેલી સવારે ભૂકંપ આવ્યો હતો. આ જ મહિનામાં આ ચોથો ભૂકંપ છે. ઉત્તરભારતમાં આજકાલ વધી રહેલી ભૂકંપની ઘટનાઓએ ચિંતા વધારી છે.
કાશ્મીરમાં સતત બીજા દિવસે ભૂકંપ
રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતા નોંધાઈ
જાનમાલની કોઈ નુકસાની નહીં
વહેલી સવારે આવ્યો ભૂકંપ
કાશ્મીરમાં ગુરુવારે સવારે ફરી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે સવારે 3.02 વાગ્યે કટરાના પૂર્વમાં રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. ભૂકંપના કારણે જાન-માલને કોઈ ખતરો થયો હોવાના કોઈ અહેવાલ નથી.
An earthquake of magnitude 3.5 occurred 84 km East of Katra, Jammu and Kashmir at around 3.02 am today, as per National Center for Seismology.
આ જ મહિનામાં ચોથો ભૂકંપ
આ પહેલા બુધવારે (16 ફેબ્રુઆરી) રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બુધવારે તેનું કેન્દ્રબિંદુ પહેલગામથી 15 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં હતું. પછી તેની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. આ પહેલા 10 ફેબ્રુઆરીએ પર્યટન સ્થળ ગુલમર્ગમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પછી તેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી. આ સિવાય 5 ફેબ્રુઆરીએ 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જમ્મુ વિભાગના ઉધમપુર, ડોડા, કિશ્તવાડ, પૂંચ તેમજ કાશ્મીર ખીણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
અગાઉ દિલ્હી-એનસીઆર સહિત દેશના કેટલાય ભાગોમાં ભૂકંપના મોટા ઝટકા અનુભવાયા છે. ભૂકંપ સવારે 9 કલાકને 50 મીનિટની આસપાસ આવ્યો છે. દિલ્હી એનસીઆરમાં લોકોને લગભગ 15--20 સેકન્ડ સુધી ધરતી ધણધણી હોવાનો અનુભવ થયો હતો.
છેલ્લા એક વર્ષમાં દેશમાં 965 નાના-મોટા ભૂકંપ આવ્યા છે
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડેટા અનુસાર, 1 જાન્યુઆરી, 2020 થી 31 ડિસેમ્બર, 2020 વચ્ચે દેશમાં કુલ 965 નાના અને મોટા ભૂકંપ નોંધાયા હતા. દિલાસાની વાત એ છે કે આ તમામ ભૂકંપની તીવ્રતા ઓછી હતી, જેના કારણે કોઈ મોટી ખુવારી થઈ નથી.
ભૂકંપ આવે ત્યારે શું કરવું શું ન કરવું જોઈએ
ભૂકંપના ઝટકા અનુભવાય ત્યારે એકદમ ગભરાવવું નહીં, સૌથી પહેલ આપ કોઈ પણ બિલ્ડીંગમાં હોવ તો, ત્યાંથી બહાર નિકળી ખુલ્લામાં આવી જાવ. બિલ્ડીંગની નીચે ઉતરતા લિફ્ટનો ક્યારેય પણ ઉપયોગ કરવો નહીં. ભૂકંપના સમયે તે ખતરનાક સાબિત થઈ શકે છે. તો વળી જો બિલ્ડીંગની નીચે ઉતરવાનું શક્ય ન હોય તો, પછી આજૂબાજૂના કોઈ મેજ, ઉંચી ચોકી અથવા બેડની નીચે છુપાઈ જાવ.
-ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
-વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
-ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
-ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
-ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
-ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
-ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
-દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.