જમ્મૂ-કાશ્મીરના કુલગામમાં હિઝબુલ મુઝાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબાના ખુંખાર આતંકવાદીઓ સાથે DSP દેવેન્દ્રસિંહને પોલીસે ઝડપી લીધો હતો. ત્યારે હવે પોલીસ તપાસમાં વધુ એક ખુલાસો થયો છે. તે શ્રીનગરમાં એક આર્મી બેઝની બાજુમાં એક ઘર બનાવી રહ્યો હતો.
શનિવારે જમ્મૂ કાશ્મીર પોલીસે DSPની કરી હતી ધરપકડ
DSPની સાથે બે આતંકવાદી પણ પકડાયા હતા
શ્રીનગરમાં એક આર્મી બેઝની બાજુમાં એક ઘર બનાવી રહ્યો હતો
એક ખાનગી ચેનલના ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે શ્રીનગરના ઇન્દિરાનગરમાં એક આર્મી બેઝની બાજુમાં પોતાનું ઘર બનાવી રહ્યો હતો. આ વિસ્તાર શ્રીનગરનો સૌથી સુરક્ષિત વિસ્તાર માનવામાં આવે છે. તેનું ઘર 2017થી બની રહ્યું હતું. તેના ઘરની બાઉન્ડ્રી 15-કોરના મુખ્યાલયની બાજુમાં છે. દેવેન્દ્રસિંહ છેલ્લા 5 વર્ષથી પોતાના સંબંધીને ત્યાં ભાડાના મકાનમાં રહેતો હતો. જમ્મૂ કાશ્મીર પોલીસે આ જ ઘરમાંથી હથિયારો પકડી પાડ્યા હતા.
દેવેન્દ્રસિંહ આતંકવાદીઓને પહેલા ચંદીગઢ અને બાદમાં દિલ્હી પહોંચાડવા માટેનો પ્લાન હતો. તેના માટે DSPએ લાખો રૂપિયામાં ડીલ કરી હતી. DSP દેવેન્દ્રસિંહનું સંસદ હુમલાના આતંકી અફઝલ ગુરુ સાથે પણ કનેક્શન હોવાનું સામે આવ્યું છે.
DSP જમ્મૂ-કાશ્મીરના કુલગામમાં હિઝબુલ મુઝાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબાના બે ખૂંખાર આતંકવાદી સાથે ઝડપાયો છે. આતંકી અફઝલ ગુરુએ પણ કથિત રીતે દેવેન્દ્ર સિંહે પણ નામ લીધું હતું. પોલીસનું કહેવું છે કે DSP દેવેન્દ્રના અફઝલ ગુરુ સાથેના કનેક્શનની તપાસ થઈ રહી છે.
રાષ્ટ્રપતિ વીરતા ચંદ્રક એવોર્ડ પરત લેવાશે
દેવેન્દ્રસિંહ જમ્મુ-કાશ્મીર પોલીસના આતંકવાદ વિરોધી વિશેષ ઓપરેશન જૂથ(SOG)માં એક સબ-ઇન્સ્પેક્ટર તરીકે જોડાયા હતા. તેમને વીરતા માટે પ્રતિષ્ઠિત પોલીસ ચંદ્રક મેળતાની સાથે જ ડીએસપી રેન્ક સુધી ઝડપથી પહોંચ્યા હતા. તેમને આ બહાદુરીનો એવોર્ડ આતંકવાદ વિરોધી ફરજ માટે મળ્યો હતો. દેવેન્દ્રસિંહની હવે ગુપ્તચર બ્યૂરો, રિસર્જ એન્ડ એનાલિસિસ વિંગ અને લશ્કરી ગુપ્તચર ટીમ દ્વારા પૂછપરછ કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેમનો રાષ્ટ્રપતિ વીરતા ચંદ્રક એવોર્ડ દેવેન્દ્રસિંહ પાસેથી લઈ શકાય છે. આ પ્રક્રિયા પર વિચારણા થઇ રહી છે.