નજીકથી ગોળી વાગવાના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આકાશ મેહરા
મુસ્લિમ જાંબાજ ફોર્સે લીધી હતી કૃષ્ણા ઢાબા પર હુમલો કરવાની જવાબદારી
પોલીસે હુમલાને લઇને અત્યાર સુધી ત્રણ લોકોની કરી ધરપકડ
આતંકવાદીઓએ કૃષ્ણા ઢાબાના માલિકના દીકરા આકાશ મેહરાને 17 ફેબ્રુઆરીએ ગોળી મારી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, મેહતાની છેલ્લા 10 દિવસથી SMHS હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને રવિવારે બપોરે તેનું મોત થયું.
આકાશના મોતના સમાચાર આવ્યાના થોડા સમય બાદ ટ્વિટર પર કૃષ્ણા ઢાબા હૈશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યું. લોકોએ કૃષ્ણા ઢાબા માલિકના મોતને લઇને સરકારની સાથે વિપક્ષ પર સવાલ ઉઠાવ્યા.
શું હિન્દુસ્તાનમાં હિન્દુ હોવું ગુનો છે?: યૂઝર
એક યૂઝરે લખ્યું કે, શું હિન્દુસ્તાનમાં હિન્દુ હોવું ગુનો છે? ક્યાં છે સેક્યુલર નેતા અને એવોર્ડ વાપસી ગેંગ? શું હિન્દુના મૃત્યુ પર સેકુલરિઝ્મની હત્યા નથી થતી? એક યૂઝરે લખ્યું કે ઇસ્લામી આતંકે વધુ એક બહાદુર હિન્દુનો જીવ લઇ લીધો એક અન્ય યૂઝરે આકાશ મેહરાના મોત પર દુઃખ વ્યક્ત કરતા આને કશ્મીરિયત પર કલંક ગણાવ્યું. એક અન્ય યૂઝરે આકાશના મોતની સાથે જ ગૌરી લંકેશ, ગોવિંદ પાનરસેના મોતનો મુદ્દો પણ ઉઠાવ્યો.
અમારા માટે વરદાન હતું કૃષ્ણા ઢાબા
ટ્વિટર પર કેટલાક યૂઝર્સે કૃષ્ણા ઢાબા સાથે જોડાયેલી પોતાના યાદો શેર કરી. એક યૂઝરે લખ્યું કે હું અનેક વખત જમવા માટે જતી હતી. આ અમારા માટે એક વરદાનની જેમ હતું. અશોક મેહરા પર હુમલાના સમાચાર અને તેમની મોતથી ખુબજ દુઃખમાં છું. ભગવાન તેમને મોક્ષ આપે.
રાજકીય વિશ્લેષક માજિદ હૈદરીએ સવાલ ઉઠાવ્યો કે, ભાજપ ઢાબા માલિકના દીકરાની સારી સારવાર માટે એરલિફ્ટ કરીને દિલ્હી કેમ ન લઇ આવી.
મુસ્લિમ જાબાંજ ફોર્સે લીધી હુમલાની જવાબદારી
આ હુમલાની જવાબદારી મુસ્લિમ જાંબાજ ફોર્સે લીધી છે. આ આતંકવાદી સંગઠન 1990થી સક્રિય છે. આ હુમલાને લઇને પોલીસે ત્રણ આરોપીને ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા આરોપીઓએ કથિત સંબંધ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંલગ્ન જૂથ ગણાવ્યું છે.