જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના તિરંગા વાળા નિવેદનને લઈને કોહરામ મચ્યો છે. મહેબૂબાના આ નિવેદન પર બીજેપી આક્રમક બની છે. મહેબૂબાના નિવેદનનો વિરોધ કરતા ભાજપ સોમવારે શ્રીનગરના કુપવાડા સુધી તિરંગા યાત્રા કાઢી રહી છે. ત્યારે સોમવારે કુપવાડાના ભાજપના કાર્યકર્તા શ્રીનગરના પ્રખ્યાત લાલ ચોક પહોંચ્યા અને તિરંગો ફરકાવવાનો પ્રયાસ કર્યો હતો.
... ત્યાં સુધી તિરંગો નહીં પકડે- મુફ્તી
ભાજપના કાર્યકર્તાએ પોલીસને પકડી લીધા
4 ભાજપના કાર્યકર્તાઓની અટકાયત કરી
જોકે આ દરમિયાન ભાજપના કાર્યકર્તાએ પોલીસને પકડી લીધા અને 4 ભાજપના કાર્યકર્તાઓની અટકાયત કરી છે. ગત દિવસોમાં મહેબુબા મુફ્તીએ કહ્યું હતુ કે જ્યાં સુધી કાશ્મીરમાં ફરી 370 નથી લાગતી ત્યાં સુધી જમ્મુ કાશ્મીરનો ઝંડો પાછો નથી મળી જતો ત્યાં સુધી તિરંગો નહીં પકડે.
આ પહેલા રવિવારે ભાજપના વિદ્યાર્થી સંગઠન (ABVP)ના કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય ધ્વજ પર વિવાદીત ટિપ્પણીને લઈને મુફ્તીની વિરુદ્ધ જમ્મુમાં પીડીપી કાર્યાલયની બહાર પ્રદર્શન કર્યુ હતુ. આજે પ્રદર્શનનો બીજો દિવસ છે. જમ્મુમાં પીડીપીની ઓફિસ પર કેટલાક યુવાઓ તિંરગો ફેલાવી રહ્યા હતા. આ દરમિયાન મહેબુબાની વિરુદ્ધ નારે બાજી કરી હતી.
ઉલ્લેખનીય છે કે મહેબૂબાએ મુક્ત થયા બાદ એલાન કર્યુ હતુ કે હું જમ્મુ કાશ્મીર ઉપરાંત બીજો કોઈ ઝંડો નહીં પકડુ, મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જે સમયે અમારો ઝંડો પાછો મળશે. તે સમયે ઝંડા તે (તિરંગા)ને પણ ઉઠાવીશું. પણ જ્યાં સુધી અમારો ઝંડો કે જેને ડાકુઓએ ડાકમાં લીધો છે. ત્યાં સુધી અમે કોઈ પણ ઝંડાને હાથમાં નહીં લઈએ. પૂર્વ સીએમએ કહ્યું કે તે ઝંડો અમારો છે અમારા આઈનનો ભાગ છે અમારો ઝંડો તો આ છે અમારો સંબંધ આ ઝંડાએબનાવ્યો છે. પીડીપી, નેશનલ કોન્ફેન્સ સહિત અનેક પાર્ટીઓ કેન્દ્ર સરકારની વિરુદ્ધ મોર્ચો માંડી ફરી 370 લગાવવાની ફિરાકમાં છે.