ભાજપ નેતા વસીમ બારીની હત્યા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. ભાજપ નેતા જિતેન્દ્રસિંહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોન પર વસીમ બારીની હત્યા અંગે જાણકારી લીધી છે અને વસીમના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું કે વસીમ બારીનું બલિદાન વ્યર્થ નહીં જાય.
ભાજપ નેતા વસીમ બારીની હત્યા
PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
વસીમ બારીનું બલિદાન વ્યર્થ નહીં જાયઃ જે.પી. નડ્ડા
વસીમ બારી જમ્મૂ-કશ્મીરમાં ભાજપના નેતા હતા. જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓએ ભારતીય જનતા પાર્ટીના નેતા વસીમ બારીની હત્યા કરી દીધી છે. જેમાં વસીમ બારીનું મૃત્યુ થયું હતું. જ્યારે તેમના ભાઈ અને પિતાને પણ ગોળી વાગી હતી. જેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
#UPDATE - Former Bandipora BJP president Wasim Bari, his father & brother, all 3 succumbed to their injuries. The family had a component of 8 security people but unfortunately, none of them was kept along at the time of incident: J&K DGP Dilbag Singh (file pic) https://t.co/wbA1PkTLTLpic.twitter.com/yZm2jTRoCd
ભાજપ નેતા જિતેન્દ્રસિંહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોન પર વસીમ બારીની હત્યા અંગે જાણકારી લીધી છે અને વસીમના પરિવાર પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે.
Over the telephone, PM @narendramodi enquired about the gruesome killing of Wasim Bari. He also extended condolences to the family of Wasim.
— Dr Jitendra Singh (@DrJitendraSingh) July 8, 2020
જે.પી. નડ્ડાએ વસીમ બારીની હત્યા મામલે આપી આ પ્રતિક્રિયા
આ મામલે જે.પી. નડ્ડાએ ટ્વીટ કર્યું હતું. જેમાં લખ્યું કે બાંદીપોરામાં શેખ વસીમ બારી, તેમના પિતા અને ભાઈને આપણે ગુમાવી ચૂક્યા છીએ. પાર્ટી માટે આ મોટું નુકસાન છે. મારી સંવેદનાઓ તેમના પરિવારની સાથે છે. સમગ્ર પાર્ટી તેમના પરિવાર સાથે ઉભી છે. હું નિશ્ચય કરું છું કે તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય.
We lost Sheikh Waseem Bari,his father & brother in Bandipora, J&K today in a cowardly attack on them.This is a huge loss for the party. My deepest condolences are with the family.The entire Party stands with the bereaved family. I assure that their sacrifice will not go in vain.