જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓએ ભારતીય જનતા પાર્ટીના નેતા વસીમ બારીની હત્યા કરી દીધી છે. આતંકીઓએ વસીમ બારી અને તેના પિતા અને ભાઈ પર પણ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ત્રણેય લોકોનું મોત નીપજ્યું હતું.
જમ્મૂ કશ્મીરમાં ભાજપના નેતાની હત્યા
બાંદીપરામાં ભાજપ નેતા વસીમ બારીની આંતકીઓએ કરી હત્યા
વસીમ બારીના પિતા તથા ભાઇનું પણ મોત
ઉલ્લેખનીય છે કે, બીજેપી નેતા તેના પિતા અને ભાઈ સાથે દુકાન પર હતા. ત્યારે જ આતંકીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. કાશ્મીરના આઈજીએ જણાવ્યું હતું કે પરિવારને 8 સુરક્ષા કર્મચારી મળ્યા છે, પરંતુ ઘટના સમયે તેમની સાથે કોઈ નહોતું.
#UPDATE - Former Bandipora BJP president Wasim Bari, his father & brother, all 3 succumbed to their injuries. The family had a component of 8 security people but unfortunately, none of them was kept along at the time of incident: J&K DGP Dilbag Singh (file pic) https://t.co/wbA1PkTLTLpic.twitter.com/yZm2jTRoCd
આપને જણાવી દઇએ કે, ઘર અને દુકાન બંને એક સાથે છે. PSO ને પહેલા માળે બેસવાની છૂટ હતી. ભાજપના નેતાની સુરક્ષા હેઠળ તૈનાત તમામ 8 સુરક્ષા જવાનોની ધરપકડ કરવામાં આવી છે.