જમ્મૂ કાશ્મીરમાં ભારતીય સેનાનું મોટું ઓપરેશન: છેલ્લા 12 જ કલાકમાં 5 આતંકવાદીઓ ઠાર, જૈશના કમાન્ડર જાહિદને પણ ભડાકે દીધો
જમ્મૂ કાશ્મીરમાં સેનાનું આરંભ હૈ પ્રચંડ
12 જ કલાકમાં પાંચ આતંકવાદીઓના મોત
પુલવામા ઍટેકનો કમાન્ડર પણ ઠાર
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનો સપાટો
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ છેલ્લા 12 કલાકમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના 5 આતંકવાદીઓને ભડાકે દીધા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર ઝાહિદ વાની અને એક પાકિસ્તાની આતંકવાદીનો સમાવેશ પણ થાય છે. સમગ્ર રાજ્યમાં મોટા ઓપરેશન બાદ પ્રજામાં પણ આતંકવાદીઓ સામેનો ગુસ્સો જોવા મળી રહ્યો છે અને સેના પ્રત્યે આભાર વ્યક્ત કરી રહ્યા છે.
05 #terrorists of #Pakistan sponsored proscribed #terror outfits LeT & JeM killed in dual #encounters in last 12 hours. JeM commander terrorist Zahid Wani & a Pakistani terrorist among the killed. Big #success for us: IGP Kashmir@JmuKmrPolice
કુલ પાંચ આતંકવાદીઓને ભડાકે દીધા
કાશ્મીરના IGPએ સમગ્ર ઓપરેશનને સેના માટે મોટી સફળતા ગણાવી છે. જમ્મુ અને કાશ્મીર ડીજીપીએ જણાવ્યું હતું કે શનિવારે રાત્રે બડગામ જિલ્લાના ચરારેશરીફ અને પુલવામા જિલ્લાના નાયરામાં સુરક્ષા દળો દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન બડગામમાં એક અને પુલવામામાં 4 આતંકી માર્યા ગયા હતા.
શાહીદોનો બદલો લેવાયો
ઝાહિદ મંજૂર વાની જમ્મુ-કાશ્મીરમાં જૈશના ટોચના આતંકવાદીઓમાંથી એક હતો. ઝાહિદ લેતપુરાની ઘટનામાં સામેલ હતો જેમાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ 40થી વધુ CRPF જવાનો શહીદ થયા હતા. નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં શનિવારે સાંજે આતંકવાદીઓએ ફરી એકવાર ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. કુલગામ જિલ્લામાં પોલીસકર્મીની હત્યા બાદ હવે પુલવામાના નાયરા વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો.
પોલીસ જવાનોની હત્યા
બીજી તરફ, શનિવારે સાંજે જ, કુલગામ જિલ્લાના હસનપોરામાં શંકાસ્પદ આતંકવાદીઓએ હેડ કોન્સ્ટેબલ અલી મોહમ્મદ ગનીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મોહમ્મદ ગની કુલગામ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા.