જમ્મુ કાશ્મીરને લઇને મોદી સરકારે ઐતિહાસિક પગલુ ઉઠાવ્યું છે. જમ્મૂ કાશ્મીર હવે એક કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે. સાથે જ કાશ્મીરને આર્ટિકલ 370 દ્વારા જે વિશેષાધિકાર મળ્યા હતા. જે ખતમ થઇ ગયા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે લદ્દાખને જમ્મુ કાશ્મીરથી અલગ કર્યું છે. એટલે કે લદ્દાખ હવે એક અલગ રાજ્ય હશે.
ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આપવામાં આવેલ મંજૂરી રજૂ કરી, એમણે ગૃહમાં સંકલ્પ પત્ર વાંચ્યો. જે બાદ ગૃહમાં હંગામો શરૂ થઇ ગયો. રાષ્ટ્રપતિએ જે આદેશ આપ્યો હતો તે આપ અહીં વાંચી શકો છો.
ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં જમ્મૂ કાશ્મીરને લઇને બે સંકલ્પ અને બે બિલ રજૂ કર્યા. જે બાદ ગૃહમાં હંગામો શરૂ થયો. મોદી સરકારે જમ્મૂ કાશ્મીરના પુનર્ગઠન બિલ રજૂ કર્યું છે. જે હેઠળ જમ્મૂ કાશ્મીરથી લદ્દાખને અલગ કરી દેવાયું છે. લદ્દાખને વિના વિધાનસભા કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે.
અમિત શાહ આપેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લદ્દાખના લોકોની લાંબા સમયથી માંગ રહી છે કે લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે. જેથી અહીં રહેનાર લોકો પોતાના લક્ષ્યોને હાંસલ કરી શકે.
કાશ્મીર મામલે આજે દરેકના મોં પર એક જ નામ છે આર્ટિકલ 370. તેને ખતમ કરવાની વાત પર વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. શું આ આર્ટિકલ કાનૂની રીતે ખમત થઇ શકે છે અથવા તે સ્થાયી છે.
આર્ટિકલ 370 અને આર્ટિકલ 35એ લઇને સંવિધાન વિશેષજ્ઞોમાં પ્રતિભાવ આપી રહ્યા છે. વિશેષજ્ઞો અનુસાર એમા કોઇ શંકા નથી કે ભારતીય સંવિધાનનો અનુચ્છેદ 370 પૂર્ણ રીતે અસ્થાઇ છે. આ વાતનો ઉલ્લેખ અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે.
આર્ટિકલ 370ને જ્યાં સુધી હટાવવાનો સવાલ છે, તો તેને લઇને સંવિધાનમાં બે વાત કહેવામાં આવી છે. પહેલી વાત અનુચ્છેદ 370ને જમ્મૂ કાશ્મીર વિધાનસભાની સહમતિથી સંસદ હટાવી શકે છે. જ્યારે બીજી વાત કે સંવિધાનના અનુચ્છેદ 368 હેઠળ સંસદમાં બે તૃતિયાંશ બહુમતીથી તેને સમાપ્ત કરી શકે છે.
અનુચ્છેદ 368 સંસદને સંવિધાનના કોઇપણ અનુચ્છેદમાં સંશોધન કરવા અથવા તેને હટાવવાનો અધિકાર આપે છે. આ જ અનુચ્છેદ 370 સાથે જોડાયેલ પહેલીઓ ઉકેલે છે. વિશેષજ્ઞોએ કહી રહ્યા છે કે આ અનુચ્છેદને ભારતીય સંસદ બે તૃતીયાંશ બહુમતથી ખતમ કરી શકે છે.