મોદી સરકાર અને ભાજપે પોતાના ચૂંટણી જાહેરનામામાં સૌથી મહત્વના વાયદાને પૂરતાં કરતા જમ્મુ કાશ્મીરથી ધારા 370 ને હટાવવા માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે.
જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની ધારા 370 ને હટાવીને આજે મોદી સરકારે તમામ અટકળો, અફવાઓ અને કયાસો પર વિરામ લગાવી દીધો. આ ઐતિહાસિક નિર્ણયમાં જમ્મુ કાશ્મીરને બે ભાગમાં વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરની સાથે લદ્દાખ પણ હવે કેન્દ્ર શાસિત પ્રદેશ હશે.
આ નિર્ણય બાદ હવે પીએમ મોદીનું ભાજપ સંગઠનમાં કામ કરતાં દશકો જૂનો ફોટો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેમાં તેઓ ધારા 370 હટાવવા માટે ઘણા સંઘર્ષ અને આંદોલન કરતાં નજરે આવી રહ્યા છે. ફોટામાં પીએમ મોદી જ્યાં બેઠેલા નજરે આવે છે એની પાછળ જે બેનર દેખાઇ રહ્યું છે એમાં સ્પષ્ટપણ લખેલું નજરે આવી રહ્યું છે કે 370 હટાવો આતંકવાદ મિટાઓ અને દેશ બચાવો.
હવે મોદી સરકારે એને હટાવવાનો જે નિર્ણ લીધો છે તે એમની એ રાજ્યને દેશની સાથે જોડવાની દશકો જૂની પ્રતિબદ્ધતાને દેખાડી રહ્યું છે.
કાશ્મીરથી ધારા 370 ને હટાવવા માટે સોમવારે ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં એક સંકલ્પ રજૂ કર્યો. આ સંકલ્પમાં એમને કહ્યું કે બંધારણના અનુચ્છેદ 370ના તમામ ખંડ જમ્મુ કાશ્મીરમાં લાગૂ થશે નહીં. અમિત શાહે રાજ્ય સભામાં કહ્યું, 'મહોદય, હું સંકલ્પ પ્રસ્તુત કરું છું કે આ સદન અનુચ્છેદ 370(3) ના અંતર્ગત ભારતના રાષ્ટ્રપતિ દ્વારા જારી કરનારી નિમ્નલિખિત અધિસૂચનાઓની ભલામણ કરું છું.'
આ નિર્ણને લઇને જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ સંસદમાં ગૃહમંત્રી અમિત શાહના બોલ્યાના થોડીક મીનિટ બાદ બે ટ્વિટ કર્યા. બંને ટ્વિટ એક જ સમયે 11:39 વાગ્યા કર્યા. પહેલા ટ્વિટ પર મુફ્તીએ કહ્યું કે આ ભારતીય લોકતંત્રનો સૌથી કાળો દિવસ છે. જમ્મુ કાશ્મીરના નેતૃત્વએ 1947માં ભારતની સાથે જવાનો જે નિર્ણય લીધો હતો, એ ખોટો સાહિત થઇ ગયો. ભારત સરકાર દ્વારા અનુચ્છેદ 370 હટાવવાનો નિર્ણય ગેરકાયદે અને ગેરબંધારણીય છે.
ભારતના કાનૂની મામલામાં કોર્ટ ભારતીય દંડ સંહિતા હેઠળ કાર્યવાહી કરે છે. જમ્મુ કાશ્મીરમાં આવું થતું નહતું. ત્યાં IPC નો પ્રયોગ થતો નથી. પરંતુ ધારા 370 ને હટાવ્યા બાદ હવે જમ્મુ કાશ્મીરમાં સમગ્ર દેશની જેમ ભારતીય દંજ સંહિતા એટલે કે આઇપીસી લાગૂ થશે.