જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટતા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે સુરતીઓમાં અને કાશ્મીરની પંડિતોમાં એક ઐતિહાસિક તહેવાર જેવો માહોલ જોવા મળી મળ્યો છે.
જમ્મૂ-કશ્મીર 370ની ઝંઝીરોમાંથી આઝાદ થતા દેશભરમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતી યુવાઓએ કલમ હટતા ખુશી વ્યક્ત કરી હતી. સુરતવાસીઓએ 370 કિલોની કેક કાપીને ઉજવણી કરી હતી. 21 ફૂટ લાંબી કેક કાપીને સ્થાનિકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શહેરીજનો ઉજવણી કાર્યક્રમમાં જોડાયા હતા.
વિદ્યાર્થીઓ દ્વારા બનાવમાં આવી માનવ કૃતિ
સુરતમાં 370ની કલમ મામલે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વેડ રોડ ગુરુકુળના 500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા માનવ કૃતિ બનાવવામાં આવી હતી. માનવ કૃતિ વડે 370ની કલમ દૂર થવાના દ્રશ્યો બનાવી ઉજણવી કરી હતી. જેના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે.
જ્યારે સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉજવણી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવતા ઉજવણી કરવામાં આવી છે. તેમજ મીઠાઈ વહેંચી, અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
સુરતમાં #Article370 મામલે અનોખી ઉજવણી કરવામાં આવી છે. વેડ રોડ ગુરુકુળના 500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આ ઉજવણી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ દ્વારા માનવ કૃતિ બનાવમાં આવી છે. માનવ કૃતિ વડે 370ની કલમ દૂર થવાના દ્રશ્યો બનાવી ઉજણવી કરી હતી. જેના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. pic.twitter.com/UkW9F0jdvN
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 5, 2019
કશ્મીરી પંડિતોમાં ખુશીનો માહોલ
રાજ્યસભામાં ઐતિહાસિક બિલ પાસ થતા કશ્મીરી પંડીતોએ આનંદની લાગણી છવાઈ છે. તેમણે સરકારનો આભાર માન્યો હતો અને આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો. કાશ્મીરી પંડિતોએ ખરી આઝાદી મળી હોવાની વાત કરી હતી અને તેમણે પરત પોતાના વતન જવાની ઈચ્છા વ્યકત કરી હતી. કશ્મીરી પંડિતોનું કહેવું છે કે, તેમને લાંબા સમય બાદ ન્યાય મળ્યો છે.
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટતા સમગ્ર દેશ માં ઉત્સાહનો માહોલ છે પણ જમ્મુ કાશ્મીરમાં પંડિતોમાં એક ઐતિહાસિક તહેવાર જેવો માહોલ જોવા મળી મળ્યો હતો. જમ્મુ કાશ્મીરના કાશ્મીરી પંડિતોએ વસ્ત્રાપુર તળાવ ખાતે કેન્દ્ર સરકારના નિર્ણયની ઉજવણી કરી હતી. 30 વર્ષ પહેલા આ પંડિતો તેમના ઘર ખેતી છોડીને અમદાવાદ આવ્યા હતા. આંખોથી જોડાયેલા આતંકવાદના દ્રશ્યો તેમને હજુ પણ યાદ છે. ત્યારે આ નિર્ણયથી કાશ્મીરી પંડિતો ખુબ ખુશ જોવા મળ્યા હતા. આતંકીઓ ત્યાં કાશ્મીરી પંડિતોના ઘર સળગાવી નાખ્યા હતા.