જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મુદ્દે અમેરિકા કહે છે કે આ ભારતનો આંતરિક મામલો છે. સાથે જ, યુનાઇટેડ સ્ટેટ્સે કાશ્મીર મુદ્દે કોઈ પણ મધ્યસ્થી કરવાનો ઇનકાર કર્યો છે. અમેરિકાના એક વરિષ્ઠ રાજદ્વારીએ ટ્રમ્પ પ્રશાસન દ્વારા કાશ્મીર મુદ્દા પર કોઈપણ પ્રકારની મધ્યસ્થીનો ઇનકાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ અધિકારીઓ નામ ન બતાવવાની શરતે કહ્યું કે, અમે માનીએ છીએ કે, આ એક આંતરિક મામલો છે. પરતુ નિશ્ચિત રીતે ભારતના બોર્ડર પર આ નિર્ણયની અસર પડી રહી છે. અમે સતત કહી રહ્યા છીએ કે, દાયકાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે બનેલ મુદ્દાઓ પર સીધી વાતચીત થવી જોઇએ.
PM મોદી સાથે કરી ટ્રમ્પે કરી હતી અડધી કલાક વાતચીત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ લગભગ 30 મિનિટ સુધી વાતચીત કરી. બંને રાષ્ટોના નેતા વચ્ચે દ્વિપક્ષીય અને ક્ષેત્રીય બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. ટ્રમ્પ સાથેની વાતચીતમાં વડા પ્રધાન મોદીએ ઓસાકામાં જી 20 સમિટનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીત દરમિયાન બોર્ડર પર થઇ રહેલી આતંકવાદી પ્રવૃત્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સાથે જ પાકિસ્તાનનું નામ લીધા વગત પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, કેટલાક નેતાઓ દ્વારા કરવામાં આવતું ભારત વિરૂદ્ધ ભડકાઉ નિવેદનબાજી ક્ષેત્રીય શાંતિ માટે લાભદાયી નથી.
પીએમ મોદી બાદ ઇમરાન ખાનને કરી ટ્રમ્પ સાથે વાત
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી હોવાના અહેવાલ પ્રગટ થયા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ ટ્રમ્પ સાથે વાત કરી હતી. ઇમરાન ખાન અને ડોનાલ્ડ ટ્રમ્પની વાતચીત દરમિયાન ક્ષેત્રીય મુદ્દા પર વાત થઇ.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇમરાન ખાનને ભારત સાથેના સંબંધોમાં શાંતિ જાળવવા જણાવ્યું હતું. આ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના પીએમને કોઇપણ પ્રકારના એકશન, આક્રમકતાથી દૂર રહેવા જણાવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પે ઇમરાન ખાનને શાંતિ રાખવા કહ્યું હતું.