જમ્મૂ-કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. કલમ 370 અને 35-એને નાબૂદ કરવામાં આવી છે. સાથે જ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખને અલગ-અલગ કેન્દ્ર શાસિત રાજ્યો જાહેર કરાયા છે. ત્યારે સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે.
CM રૂપાણીએ નિર્ણયને આવકાર્યો
જમ્મૂ-કશ્મીરમાંથી 370ની કલમ હટાવવામાં આવી છે. ત્યારે કેન્દ્ર સરકારના આ નિર્ણયને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવકાર્યો છે. આ મામલે વિજય રૂપાણીએ ટ્વીટ કર્યુ છે કે, કાશ્મીર ભારતનો એક મુકુટ છે. આજના દિવસે એક મહત્વપૂર્ણ અધ્યાય બનશે. સાથે જ તેમણે જણાવ્યુ કે, આ કલમ હટાવીને શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ અપાઈ છે.
भारत के प्रधानमंत्री श्री @narendramodi जी और गृहमंत्री श्री @AmitShah जी को जम्मू-कश्मीर से धारा 370 को हटाने के ऐतिहासिक और साहसिक निर्णय के लिए अभिनंदन। #BharatEkHai
कश्मीर भारत का मुकुट है और आज का ऐतिहासिक दिन भारत के स्वर्णिम इतिहास का एक महत्वपूर्ण अध्याय बनेगा। यह निर्णय निश्चय ही श्यामा प्रसाद मुखर्जी जी को एक सच्ची श्रद्धांजलि है।#BharatEkHai
જોકે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 370 કલમ હટાવવાના નિર્ણયને ઐતિહાસિક અને સાહસિક ગણાવતા પીએમ મોદી અને અમિત શાહને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ પીએમ મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો. અને કહ્યું કે, આજે સમગ્ર દેશ આઝાદી પછીની આઝાદી અનુભવી રહ્યો છે.
જમ્મુ કાશ્મીર મુદ્દે પ્રદીપસિંહ જાડેજા ભરૂચમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમમાં આપ્યું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિના કારણે નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકાર સુરક્ષાના હિતમાં કોઇ દિવસ બાંધછોડ નહીં કરે.
નવા કાશ્મીરનો ઐતિહાસીક નિર્ણય આવતા સમગ્ર ભારતમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે અમરેલી રાજકમલ ચોક ખાતે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પોતાની આગવી શૈલીમાં કહ્યું હતું કે 'જહા હુઆ બલિદાન મુખર્જી વો કાશ્મીર હમારા હૈ.'