ઈન્ડિયન આર્મી અને આતંકીઓ વચ્ચે LOC નજીક વધુ એકવખત અથડામણ થઈ હતી, જે દરમિયાન ભારતીય સેનાના જવાનોએ એક આતંકીને ઠાર માર્યો છે.
ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો આતંકી
મોટી સંખ્યામાં મળી આવ્યો દારૂગોળો
સેનાના જવાનોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો
આતંકીનો મૃતદેહ હથિયારો અને દારૂગોળાની સાથે મળી આવ્યો છે.
પીઆરઓ જમ્મુએ કહ્યું, "25 નવેમ્બર, 2021ની રાત્રે, પાકિસ્તાની આતંકવાદીએ ભીમ્બર ગલી સેક્ટર (J&K)માં એલઓસી પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો. એલર્ટ ભારતીય સેનાના જવાનોએ ઘૂસણખોરીના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો અને એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો."
ગુરૂવારે NIA આતંકવાદી સંગઠનોને ફંડિંગના મામલે શ્રીનગર સહિત અન્ય સ્થળો પર દરોડા પાડ્યા
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગુરુવારે આતંકવાદી સંગઠનોને ફંડિંગના સંબંધમાં શ્રીનગર અને ઘાટીના અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. ખીણ સહિત દેશના ઘણા ભાગોમાં હિંસા ફેલાવવા માટે આતંકવાદી સંગઠનો- જૈશ, લશ્કર, હિઝબુલ, ટીઆરએફના કાવતરાના ભાગ રૂપે ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ પછી કેસ નોંધીને એજન્સી દરોડા પાડી રહી છે. આ દરમિયાન ઉત્તર, દક્ષિણ અને મધ્ય કાશ્મીરમાંથી પણ ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ અગાઉ J&K ગઠબંધન ઑફ સિવિલ સોસાયટીના સંયોજક ખુર્રમ પરવેઝની ઘરપકડ કરી
અગાઉ સોમવારે, માનવાધિકાર કાર્યકર્તા અને J&K ગઠબંધન ઑફ સિવિલ સોસાયટીના સંયોજક ખુર્રમ પરવેઝને આ જ કેસમાં સોનાવર ખાતેના તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. NIA તેને પૂછપરછ માટે દિલ્હી લઈ ગઈ છે. ખુર્રમના નિવાસસ્થાન તેમજ અમીરાકદલમાં સોસાયટીની ઓફિસ પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન ડિજિટલ પુરાવા, મોબાઈલ, લેપટોપ, પુસ્તકો અને ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા છે. NIAએ 8 ઓક્ટોબર, 2020 ના રોજ, કહેવાતા NGO અને ટ્રસ્ટો દ્વારા ચેરિટી પ્રવૃત્તિઓના નામે દેશ-વિદેશમાંથી દાન લેવાના અને આ ભંડોળનો અલગતાવાદી અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવાના કેસમાં કેસ નોંધ્યો હતો. 28 ઓક્ટોબરે કેસ નોંધાયા બાદ એજન્સીએ 10 જગ્યાએ દરોડા પાડ્યા હતા.
NIAની ટીમે સોમવારે પણ શ્રીનગરમાં દરોડા પાડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, NIAની ટીમે પોલીસ અને અર્ધલશ્કરી દળો સાથે સોમવારે શ્રીનગરમાં દરોડા પાડ્યા હતા. જેમાં ખુર્રમના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી. બેંગ્લોરમાં પણ એક જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન માનવાધિકાર કાર્યકર્તાના ઘર અને ઓફિસની તલાશી લેવામાં આવી હતી.