શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરના પુલવામાના કાકપોરામાં આતંકવાદીઓએ આર્મી કેમ્પ પર નિશાન સાધીને હુમલો કર્યો છે. આતંકવાદીઓએ આર્મી કેમ્પ પર અચાનક હુમલો કરતા સેનાનો એક જવાન શહીદ થયો છે.
તો આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે ફાયરિંગ ચાલી રહ્યું છે. આ ફાયરિંગમાં એક સ્થાનિક નાગરિક પણ ઘાયલ થયો છે.
છેલ્લા કેટલાક દિવસથી સેના અને જવાનો પર આતંકવાદી હુમલા વધી ગયા છે. તાજેતરમાં જ કુલગામમાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો થયો હતો. અને હવે પુલવામાના કાકપોરામાં જવાનોને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે સરકારે રમઝાન મહિનો ચાલતો હોવાથી સીઝફાયરનું એલાન કર્યું છે. તો બીજી બાજુ આ તકનો લાભ ઉઠાવીને આતંકીઓ સુરક્ષા જવાનોને જ ટાર્ગેટ બનાવીને હુમલો કરી રહ્યા છે.