દેશમાં માત્ર દિલ્હી અને પુડુચેરીને આંશિક રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. દિલ્હી અને પુડુચેરી બંને જ પોતાની પસંદગીની વિધાનસભા, મંત્રીમંડળ અને કાર્યપાલિકા છે પરંતુ તેમની શક્તિઓ સીમિત છે. તેમનાં કેટલાંક કાયદા ભારતનાં રાષ્ટ્રપતિના "વિચાર અને સ્વીકૃતિ" મળવા પર જ લાગુ થઇ શકે છે. આ રીતે જમ્મૂ કાશ્મીરમાં હવે દિલ્હી અને પુડુચેરીની જેમ વિધાનસભા હશે.
જમ્મૂ-કશ્મીરમાંથી ધારા 370ને ખતમ કરતાની સાથે જ લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયો છે. ત્યારે લદ્દાખને અલગ કરવાથી ભારતને શું ફાયદો થશે તે અંગે વાત કરવામાં આવે તો લદ્દાખ કેન્દ્રશાસિત બનવાથી તેની સીધી સત્તા દિલ્હીના હાથમાં આવશે. એટલે કે, આઝાદીના 72 વર્ષ બાદ હવે લદ્દાખના લોકો વિકાસનો અહેસાસ કરી શકશે. લદ્દાખ કેન્દ્રસાશિત પ્રદેશ બનવાથી હવે અધિકારી અથવા પોલીટિકલ એડમિનિસ્ટેટર લદ્દાખની સત્તા સંભાળશે.
આ સાથે જ ટુરીઝમની રીતે પણ લદ્દાખનો ભરપુર વિકાસ થશે. ઉપરાંત બૌદ્ધ અને શિખ ધર્મના લોકોને લઘુમતિનો દરજ્જો મળશે. હવે દેશનો કોઈ પણ નાગરિક લદ્દાખમાં વસવાટ કરી શકશે. આ સાથે જ હોટેલ અને ઉદ્યોગોનો પણ વિકાસ કરી શકશે. આ સાથે જ પાડોશી ચીન પણ તેની ઔકાતમાં રહેશે. કારણ કે, લદ્દાખમાં હવે દેશના તમામ કાયદા લાગૂ થશે. આમ તમામ રીતે કેન્દ્ર સરકારનો આ નિર્ણય વિશ્વસનીય છે. જમ્મુ કશ્મીર અને લદ્દાખ બંનેને અલગ કરતા બંનેમાં ફરક એટલો રહેશે કે લદ્દાખ કે જે વગર વિધાનસભાએ કેન્દ્રશાસિત પ્રદેશ હશે અને જમ્મુ કશ્મીરમાં વિધાનસભા હશે.
જાણો શું છે બંનેમાં અંતરઃ
બંને જ રાજ્યો ભલે કેન્દ્રશાસિત પ્રદેશ હશે પરંતુ તેમાં ખૂબ અંતર રહેશે. જ્યાં સુધી લદ્દાખની વાત કરવામાં આવે તો લદ્દાખ એ વગર વિધાનસભાએ કેન્દ્રશાસિત પ્રદેશ હશે કે જેનો અર્થ આ રાજ્યમાં સીધું જ કેન્દ્ર સરકારનું શાસન હશે. એક કેન્દ્રશાસિત પ્રદેશનુ શાસન તે રાજ્યમાં કેન્દ્ર દ્વારા નિયુક્ત પ્રશાસક અથવા ઉપ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. આ ઉપ રાજ્યપાલ રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવે છે.
જો કે દેશમાં માત્ર દિલ્હી અને પુડુચેરીને આંશિક રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. દિલ્હી અને પુડુચેરી બંને જ પોતાની પસંદગીની વિધાનસભા, મંત્રીમંડળ અને કાર્યપાલિકા છે પરંતુ તેમની શક્તિઓ સીમિત છે. તેમનાં કેટલાંક કાયદા ભારતનાં રાષ્ટ્રપતિના "વિચાર અને સ્વીકૃતિ" મળવા પર જ લાગુ થઇ શકે છે. આ રીતે જમ્મૂ કાશ્મીરમાં હવે દિલ્હી અને પુડુચેરીની જેમ વિધાનસભા હશે.
આ થશે ફેરફારઃ
કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવના લાગુ થયા બાદ દેશમાં એક રાજ્ય ઓછું થઇને 28 રાજ્યો થઇ જશે અને પહેલાના 7 કેન્દ્રશાસિત પ્રદેશોને બદલે 9 કેન્દ્રશાસિત પ્રદેશ થઇ જશે.
શું કારણ છે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું?
દેશમાં કોઇ પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા પાછળ અનેક કારણ છે. જો સંક્ષિપ્તમાં આની પર નજર નાખીએ તો...
- ઓછી જનસંખ્યા અને નાના આકાર મહત્વપૂણ કારણ છે. દિલ્હીને છોડીને બાકી તમામ કેન્દ્રશાસિત પ્રદેશોમાં આબાદી ખૂબ ઓછી છે.
- અલગ સંસ્કૃતિ હોવાનું પણ એક કારણ છે. જેમ કે ભારતનાં કેટલાંક રાજ્યોમાં વિદેશી શાસકોનું શાસન રહ્યું અને આ જ કારણોસર ત્યાંની સંસ્કૃતિ પર તેની અસર છે. જેમાં મોટા ઉદાહરણ, દાદરા અને નગરહવેલી, દમન અને દીવ (પુર્તગાલી) અને પુડુચેરી (ફ્રેંચ) છે.