આવતીકાલે કાશ્મીરી નેતાઓ સાથેની પીએમ મોદીની બેઠક પહેલા કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર અને નિયંત્રણ રેખા પર 48 કલાકનું એલર્ટ જારી કર્યું છે.
આવતીકાલે કાશ્મીરી નેતાઓ સાથેની પીએમ મોદીની બેઠક
જમ્મુ કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
જમ્મુ કાશ્મીર અને નિયંત્રણ રેખા પર 48 કલાકનું એલર્ટ જારી
હાઈ સ્પીડ ઈન્ટરનેટ સર્વિસ પણ સસ્પેંન્ડ કરાઈ
પ્રધાનમંત્રી મોદીની બેઠકે ધ્યાનમાં લઈને આવતીકાલે હાઈ સ્પીડ ઈન્ટરનેટ સેવા પણ બંધ રાખવાનો નિર્ણય લેવાઈ શકે છે. પ્રધાનમંત્રી મોદી કાશ્મીરી નેતાઓ સાથે બેઠક કરવાના હોવાથી સરહદે કે જમ્મુ કાશ્મીરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેન્દ્ર સરકારે 48 કલાકનું એલર્ટ આપી દીધું છે તથા સુરક્ષા દળોને સાબદા રહેવાનો ઓર્ડર કર્યો છે.
આ માટે કેન્દ્ર સરકારે 48 કલાકનું એલર્ટ આપવું પડ્યું
કેન્દ્ર સરકારનો આ ભય ગેરવ્યાજબી નથી કારણ કે ભૂતકાળમાં જ્યારે પણ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર સંબંધિત કોઈ નિર્ણય લીધો છે ત્યારે ત્યારે કાશ્મીર ખીણ બબાલની સાક્ષી બની છે. આવી ઘટનાઓને ટાળવા માટે એલર્ટ આપ્યું છે.
મહેબુબા મુફતી દિલ્હી જવા રવાના
પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફતી પ્રધાનમંત્રી મોદીની બેઠકમાં ભાગ લેવા માટે શ્રીનગરથી દિલ્હી જવા રવાના થયા છે. સાથે જમ્મુ કાશ્મીર ભાજપના અધ્યક્ષ રવિન્દર રૈના તથા પાર્ટીના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ કવિન્દર ગુપ્તા પણ દિલ્હી જવા રવાના થયા છે.
16 નેતાઓે આમંત્રણ આપ્યું
સર્વપક્ષીય બેટક માટે કેન્દ્ર સરકાર તરફથી જમ્મુ કાશ્મીરના કુલ 16 નેતાઓને આમંત્રણ મોકલાયું છે. કલમ 370 ની નાબૂદી બાદ કેન્દ્ર દ્વારા રાજ્યના નેતાઓ દ્વારા સંવાદ સાધવાની આ મોટી પહેલ છે.