જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો આતંકવાદીઓની હાથ ધોઇને પાછળ પડી ગયા છે. બુધવારે 5 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આમ કુલ આ અઠવાડિયે આતંકવાદીઓ સાથે ત્રીજી અથડામણમાં 14 આતંકવાદીઓને ઠાક કર્યા છે. પરંતુ સુરક્ષા દળોની આ સફળતાની વચ્ચે ફરીથી પ્રશ્ન ઉભો થયો છે કે કાશ્મીરી પંડિતોને ન્યાય ક્યારે મળશે?
અજય પંડિતાની હત્યા બાદ દીકરી શીનનું નિવેદન
ન મારા પિતા કોઇના પિતાથી ડરતા હતા કે ન હું
મારા પિતા ગામને જ નહીં સમગ્ર દેશને પ્રેમ કરતા હતા
નોંધનીય છે કે, કાશ્મીરના સરપંચ અજય પંડિતાની સોમવારે હત્યા થઈ. ત્યારે આ ઘટના વચ્ચે અજય પંડિતાની પુત્રી શીન પંડિતાએ કહ્યું કે અમે પાછા કાશ્મીર જઈશું. ન તો મારા પિતા કોઈથી ડરતા હતા, ન કોઈના બાપથી હું ડરું છું.
હું કોઇના બાપથી ડરતી નથી : શીન પંડિતા
સરકારથી નારાજ અજય પંડિતાની પુત્રીએ કહ્યું કે મારા પિતાએ સુરક્ષા માંગી હતી, કોઈ માનવી કારણ વિના સુરક્ષા માંગતો નથી. કેટલાક કારણોસર, તેમણે રક્ષણ માંગ્યું. તેમની સુરક્ષા કરવાની જવાબદારી સરકારની હતી. તેઓ જે માંગતા હતા તે મળવું જોઈએ, પરંતુ માગ્યું તેમછતાં પણ સુરક્ષા ન મળી.
મારા પિતા માત્ર ગામને જ નહીં આખા દેશને પ્રેમ કરતા હતા
તેણીએ વધુમાં કહ્યું કે મારા પિતાએ તેમના નામની આગળ ભારતીય લગાવી દીધું હતું. તેઓ કહેતા હતા કે મારી પાસે ક્યારેય કંઈપણ છે તો મારી ઓળખ ભારતીય હોવી જોઈએ. તે દેશને ખૂબ પ્રેમ કરતા હતા. મારા પિતા માત્ર ગામને જ નહીં, આખા દેશને પ્રેમ કરતા હતા.
શું છે સમગ્ર મામલો ?
જમ્મૂ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદિયો દ્વારા સરપંચ હત્યા બાદ સ્થાનીય લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. કાશ્મીરી પંડિત સરપંચની હત્યા બાદ અન્ય સરપંચમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે કાશ્મીરી પંડિત સરપંચો હવે ખીણથી પલાયન કરી રહ્યા છે. સુરક્ષિત રહેવા માટે સરપંચો હવે જમ્મૂ જઈને વસી રહ્યા છે.
અજય પંડિતાની હત્યા બાદ લોકોમાં ફફડાટ
લશ્કર-એ-તૈયબાથી જોડાયેલા આતંકવાદી સંગઠન TRFએ અનંતનાગમાં અજય પંડિતા નામક સરપંચની હત્યા કરીને ફેંકી દીધા હતા. અજય પંડિતાની હત્યા બાદ ફરીવાર કાશ્મીરમાં સુરક્ષા મામલે સરકાર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. અજય પંડિતા કોંગ્રેસ પાર્ટીથી જોડાયેલા હતા અને તેમના ઘરની પાસે જ ગોળીઓથી તેમને વીંધી નાખવામાં આવ્યા જે બાદ હોસ્પિટલમાં તેમની મોત થઇ ગઈ. અત્યારે પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે ત્યારે દેશમાં પણ સરપંચની હત્યા પર રાજનીતિ શરુ થઇ ગઈ છે.