સેના અને આતંકીઓ વચ્ચે ઉત્તરી કશ્મીરનાં બાંદીપોરામાં ગુરૂવારનાં રોજ બપોરથી સતત ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં 5 આતંકીઓ ઠાર કરી દેવાયાં. પોલીસે જણાવ્યું કે આ દરેક આતંકીઓ લશ્કર એ તૈયબાનાં હતાં અને તાજેતરમાં જ સીમા પાર કરીને ઘાટીમાં દાખલ થયાં હતાં.
ઉલ્લેખનીય છે કે બાંદીપોર જિલ્લાનાં સુમલર ગામનાં શૂકબબુન વિસ્તારમાં વીરવારનાં આતંકીઓની સૂચના મળવા પર સેનાની 14 રાષ્ટ્રીય રાઇફલ્સ સીઆરપીએફ અને જમ્મુ-કશ્મીર પોલીસનાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સર્ચ ઓપરેશન ચલાવ્યું. સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી સખત હશે. એક મકાનમાં છુપાયેલા આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી નાખી. જેનો જવાબ જવાનોએ પણ આપ્યો.
પોલીસે એ પણ સાથે-સાથે જણાવ્યું કે ઠાર કરવામાં આવેલા પાંચેય આતંકીઓ હાલમાં જ નિયંત્રણ રેખા પાર કરીને આવ્યાં હતાં અને ઘાટીનાં વિભિન્ન વિસ્તારોમાં જવાના હતાં. સેનાએ આ અથડામણમાં ગુરૂવારનાં રોજ બે આતંકીઓને ઠાર કરી દેવામાં સફળતા હાંસલ કરી હતી.
આ પહેલાં સૈન્ય સૂત્રોએ કહ્યું કે આ ઓપરેશન હજી પણ લાંબુ ચાલશે. જેથી રાત્રિનાં સમયમાં નજર રાખવા માટે ઘટનાસ્થળ પર જેનરેટર અને લાઇટ પહોંચાડીને રોશનીનું બંદોબસ્ત કરવામાં આવેલ છે. જો કે હાલમાં બંને તરફથી ફાયરિંગ સતત ચાલુ છે.