જમ્મુ-કાશ્મીરનાં અનેક વિસ્તારોમાં કાયદાકીય વ્યવસ્થા બનાવી રાખવા માટે શુક્રવારનાં રોજ ફરીથી પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યાં છે. ન્યુઝ એજન્સી અનુસાર, શ્રીનગરનાં પાંચ પોલીસ સ્ટેશનો નૌહટ્ટા, રૈનાવાડી, સફાકદલ, ખાનયાર અને ડાઉનટાઉનનાં મહારાજગંજમાં કલમ 144 (Section 144) લાગુ કરી દેવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યાં બાદ 5 ઓગસ્ટે પ્રથમ વાર લગાવ્યો હતો પ્રતિબંધ
ઘાટીમાં ગાંદરબડલ, અનંતનાગ, અવંતીપોરા, સોપોર અને હંદવાડા ટાઉનનાં કેટલાંક સ્થાનો પર પણ કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે. શ્રીનગરનાં લાલ ચોક જવા અને ત્યાંથી બહાર નીકળવાનાં તમામ સ્થાનોને બૈરિકેડ અને કંટીલે તાર લગાવીને સીલ કરી દીધું છે. અધિકારીઓએ ન્યુઝ એજન્સીને કહ્યું કે, જુમ્માની નમાઝ માટે મસ્જિદો અને પ્રાર્થના સ્થળો પર ખૂબ મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. આ દરમ્યાન કાયદાકીય વ્યવસ્થા સંબંધી કોઇ પ્રકારની સમસ્યા પેદા ન થાય તેટલાં માટે સાવચેતી રાખીને આ મહત્વનું પગલું ઉઠાવવામાં આવ્યું છે.
5 ઓગસ્ટનાં રોજ પ્રથમ વાર કાશ્મીરમાં લગાવાયો પ્રતિબંધ
કાશ્મીર (Kashmir) માં પ્રથમ વાર પ્રતિબંધ 5 ઓગસ્ટનાં રોજ કલમ 370 સમાપ્ત કર્યા બાદ લગાવવામાં આવ્યો હતો. સ્થિતિમાં સુધાર આવ્યા બાદ ચરણબદ્ધ રીતે કાશ્મીરનાં અનેક વિસ્તારોમાંથી પ્રતિબંધ હટાવવામાં પણ આવ્યાં. કેટલાંક સ્થળો પર સંચાર સેવાઓ પણ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. પ્રશાસન શુક્રવારનાં રોજ યોજાનારા આયોજનો પર વિશેષ નજર રાખી રહ્યું છે જેથી આતંકી આનો ખોટો ફાયદો ના ઉઠાવી શકે.
નારાજ ભીડે સેનાનાં વાહનમાં આગ લગાવી દીધી
ગુરૂવારનાં રોજ સાંજનાં એક નાગરિકનું વાહન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ નારાજ ભીડે બારામુલા જિલ્લામાં પટ્ટનની નજીક સીમા સુરક્ષા દળનાં એક વાહનમાં આગ લગાવી દીધી હતી. સેનાનાં અધિકારીઓનાં કહેવા અનુસાર વાહનનાં ડ્રાઇવરને ભીડનાં હુમલામાં મામૂલી ઇજા થઇ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે.