જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી બિટ્ટા કરાટેને લઇને આજે શ્રીનગર કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે કેસને સકારાત્મક રીતે સાંભળ્યો અને કાશ્મીરી પંડિતોની હત્યા મામલે કોઈ યોગ્ય નિષ્કર્ષ સુધી ન પહોંચવાને લઇને જમ્મુ કાશ્મીર સરકારને ફટકાર લગાવી. કોર્ટે અરજીકર્તા પીડિત સતીષ ટિક્કૂના પરિવારને અરજીની હાર્ડ કોપી દાખલ કરવા માટે કહ્યું. કેસમાં 16 એપ્રિલે આગામી સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે શ્રીનગરની એક કોર્ટમાં બિટ્ટા કરાટે વિરૂદ્ધ દાખલ થયેલા અઢળક કેસોને ફરી ખોલવા માટેની એક અરજી કરવામાં આવી હતી. આતંકવાદી બિટ્ટાએ સૌથી પહેલા પોતાના મિત્ર અને યુવાન વેપારી સતીશ ટીક્કુની હત્યા કરી હતી. સતીશ ટીક્કુ તેનો મિત્ર હતો.
બિટ્ટા કરાટે પર 31 વર્ષ બાદ આ સુનાવણી કરવામાં આવી. બિટ્ટા કરાટે વિરૂદ્ધ સતીષ ટિક્કૂના પરિવારે આ હિમ્મત બતાવી છે અને એક્ટિવિસ્ટ વિકાસ રાણા દ્વારા શ્રીનગર કોર્ટમાં અરજી દાખલ કરાવી છે. જણાવી દઈએ કે, 22 વર્ષના કાશ્મીરી પંડિત સતીશ ટિક્કૂની બિટ્ટાએ હત્યા કરી નાખી હતી. ઉલ્લેખનીય છે કે બિટ્ટા કરાટેને કાશ્મીરમાં નિર્દોષોની હત્યા અને આતંકવાદી ઘટનાઓમાં સામેલ થવાના કારણે જેલ થઇ હતી.
ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં આતંકવાદી બિટ્ટાની હેવાનિયત અને લોકોને ભડકાવનારા ઇન્ટરવ્યૂ દેખાડવામાં આવ્યું છે. તે જણાવે છે કે તેમણે અંદાજિત 20 લોકોને મોતને ઘાટ ઉતાર્યા. આ ઇન્ટરવ્યૂ તેણે વર્ષ 1991માં આપ્યું હતું, જેમાં તે કહેતા સાંભળી શકાય છે કે જો તેને પોતાના માં અને ભાઈની હત્યા કરવા માટે કહેવામાં આવે છે તો તે તેને પણ મારી નાખત.
બિટ્ટાના નામમાં કરાટે કેમ લાગે છે?
બિટ્ટા 16 વર્ષ જેલમાં રહ્યો અને 23 ઓક્ટોબર 2006માં ટાડા કોર્ડથી જામીન પર છૂટી ગયો. દર વખતે પૂરતા પુરાવા ન મળતવાના કારણે તેને મુક્ત કરી દેવાતો હતો. પરંતુ કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ રિલીઝ થયા બાદ બિટ્ટા ફરી એક વખત ચર્ચામાં આવી ગયો. જણાવી દઇએ કે માર્શલ આર્ટ્સમાં ટ્રેન્ડ છે, એટલા માટે નામની સાથે કરાટે લગાવાયું. વર્ષ 2008ના અમરનાથ વિવાદ દરમિયાન પણ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેની ધરપકડ જાહેર સુરક્ષા અધિનિયમ હેઠળ પણ થઇ ચૂકી છે. હાલમાં જ જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે આ વાતના સંકેત આપ્યા હતા કે યાસીન મલિક અને બિટ્ટા કરાટે વિરૂદ્ધ કેસોને ખોલવામાં આવશે.
ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના રિલીઝ બાદ કાશ્મીરી પંડિતોએ ગુનેગારો વિરુદ્ધ કર્યું પ્રદર્શન
ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના રિલીઝ થયા બાદ દેશભરમાં કાશ્મીરી પંડિતોની સાથે થયેલા અત્યાચારને લઇને ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે 4 દિવસ પહેલા શ્રીનગરના પ્રેસ એન્ક્લેવમાં પંડિત વેપારીઓએ આતંકવાદી બિટ્ટા કરાટેનું પુતળુ સળગાવ્યું. પ્રદર્શનકારીઓમાં સામેલ સંદીપ માવાએ કાશ્મીર પંડિતો માટે ન્યાય અને ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી. નરસંહારમાં સામેલ રહેલા આ આતંકવાદીનું સાચુ નામ જાવેદ અહમત ડાર ઉર્ફ બિટ્ટા કરાટે છે. બિટ્ટા એક ખૂંખાર આતંકવાદી રહ્યો છે, જેણે ઇન્ટરવ્યૂમાં ખુલ્લીને કાશ્મીરી હિન્દુઓની હત્યાની વાત કબૂલી છે.
કાશ્મીરી યુવતીઓ સાથે દુષ્કર્મ કરી રહ્યા છે આતંકવાદીઃ બિટ્ટા
બિટ્ટાએ કહ્યું કે, તેણે પાકિસ્તાને દગો આપ્યો કારણ કે કહેવામાં આવ્યું હતું કે જ્યારે આતંકવાદીઓ કાશ્મીરમાં વિદ્રોહ કરીને તેને કમજોર કરશે તો પાકિસ્તાન હુમલો કરીને આઝાદ કરાવી લેશે, પરંતુ એવું કંઇ ન થયું. તેમણે કહ્યું કે, ગોળા-બારુદ અને કત્લેઆમથી સરકારને જૂકાવી શકવી શક્ય છે, એટલા માટે આતંકવાદીઓના સમર્પણ કરાવીને સરકારે વાત કરવી જોઈએ.
બિટ્ટાએ કહ્યું કે આમ પણ આતંકવાદીઓ કાશ્મીરી યુવતીઓ સાથે બળાત્કાર કરી રહ્યા છે અને બંદૂકની અણીએ વસૂલી કરી રહ્યા છે. બિટ્ટાને જ્યારે પૂછવામાં આવ્યું કે સજા મળી શકે છે તો તેમણે કહ્યું કે, ઉંમર કેદ અથવા ફાંસી થઇ શકે છે. જ્યારે પૂછવામાં આવ્યું કે ચાંસ વધુ શેનો છે તો તેણે કહ્યું, મારા હિસાબથી મને ફાંસી થશે જે મને મંજૂર છે.