કેન્દ્ર સરકારના ૩૬ પ્રધાનો જમ્મુ-કાશ્મીરના ગામ અને શહેરોમાં વિકાસનો સંદેશ ફેલાવવા માટે આજથી રપ જાન્યુઆરી સુધી જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. આ પ્રધાનો કેન્દ્રની મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીર દ્વારા ચલાવાતી યોજનાઓ અને કાર્યક્રમોને સામાન્ય લોકોની વચ્ચે પહોંચાડશે.
કેન્દ્રીય પ્રધાનો અલગ અલગ દિવસોમાં જમ્મુ-કાશ્મીરનાં પ૬ સ્થળ પર જશે
કેન્દ્ર સરકારના પ્રધાન જમ્મુ-કાશ્મીરમાં લોકોને વિવિધ કાર્યક્રમોની જાણકારી આપશે
કેન્દ્ર સરકારના પ્રધાન જમ્મુ-કાશ્મીરમાં લોકોને એ કાર્યક્રમોની જાણકારી આપશે જેને સરકારે 5 ઓગસ્ટે રાજ્યને વિશેષ દરજ્જો આપનારી કલમ-370 હટાવ્યા બાદ શરૂ કર્યા હતા.
આ કેન્દ્રીય પ્રધાનો અલગ અલગ દિવસોમાં જમ્મુ-કાશ્મીરનાં 56 સ્થળ પર જશે અને ત્યાંના લોકોને અસલી તસવીર બતાવશે. સૂત્રોએ જણાવ્યું કે નવી દિલ્હીમાં યોજાયેલી મંત્રી પરિષદની બેઠકમાં વડા પ્રધાને પ્રધાનોને કહ્યું હતું કે તેઓ સ્થાનિક લોકો સાથે સંવાદ દરમિયાન વિકાસનો સંદેશ ફેલાવે. તેમને વિવિધ કેન્દ્રીય યોજનાઓની જાણકારી આપવાનું પણ કહેવાયું છે. જેથી લોકોને ફાયદો થઇ શકે.
વડા પ્રધાને નરેન્દ્ર મોદીએ તેમના પ્રધાનોને કહ્યું હતું કે, માત્ર શહેરી વિસ્તારો સુધી સીમિત ન રહેતાં તેમણે જમ્મુ-કાશ્મીરના ગામડાનાં લોકોને પણ મળવું જોઇએ. જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર તરફથી કરવામાં આવેલા વિકાસકાર્યોની જાણકારી આપવી જોઇએ. જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જનારા આ 36 પ્રધાનોમાં ગજેન્દ્રસિંહ શેખાવત, અનુરાગ ઠાકુર, જિતેન્દ્રસિંહ, હરદીપ પુરી, પીયૂષ ગોયલ, ગિરીરાજસિંહ, સંતોષ ગંગવાર, રમેશ પોખરિયાલ નિશંક, કિરણ રિજ્જુ સામેલ છે.