આંતકવાદીઓનો ગઢ કહેવાતો પુલવામાં જિલ્લામાં હવે શાંતિ અને વિકાસના માર્ગ પર દોડવા માટે તૈયાર છે. દેશની અગ્રણી ઔદ્યોગિક ગૃહ જિંદાલ સાઉથ વેસ્ટ JSW 150 કરોડના ખર્ચે સ્ટીલ ફેક્ટરી સ્થાપવા જઈ રહી છે. તે પણ પુલવામાના લસ્સીપોરામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતશાહે સોમાવેરે વાડીમાં વિવિધ વિરાસ પ્રોજેક્ટસનું ઉદ્ધાટન કર્યા બાદ JSWના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટરને ફેક્ટરી માટે જમીનના દસ્તાવેજો સોંપ્યા હતાં.
પુલવામાં લસ્સીપોરા ખાતે સૂચિત ફેક્ટરી કોટેડ સ્ટીલનું ઉત્પાદન કરશે.
પુલવામાના લસ્સીપોરા ખાતે સૂચિત ફેક્ટરી વાર્ષિક 1.2 લાખ મેટ્રિક ટન કલર કોટેડ સ્ટીલનું ઉત્પાદન કરશે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્ટીલ સેન્ડવીચ પેનલ અને સ્ટીલના દરવાજા પણ બનાવવામાં આવશે. લેફ્ટનન્ટ ગવર્નપ મનોજ સિન્હાએ કહ્યું કે, JSWની જેમ દેશના અન્ય મોટા ઔદ્યોગિક ગૃહો પણ જમ્મુ-કાશ્મીરમાં રોકાણ માટે ઉત્સાહ બાતવી રહ્યાં છે. ગૃહમંત્રીએ 115 કરોડના ખર્ચે બનેલી 500 બેડની બેમિના હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત ગૃહમંત્રીએ હંદવારા મેડિકલ કોલેજ, બારામુલ્લામાં ફિરોઝપુર નાળા પર સ્ટીલ ગર્ડર બ્રિજ અને 46 કરોડના ખર્ચે પૂર્ણ થનારા રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો.
ગૃહમંત્રી અમિતશાહે ડલ સરોવરમાં હાઉસબોટ ફેસ્ટિવલનું ઉદ્ધાટન કર્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે સોમવારે ડલ સરોવર ખાતે હાઉસબોટ ફેસ્ટિવલનું ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ડલ સરોવારના ચમકાતાં તારાઓમાં લેસર શઓ અને મ્યુઝિકલ ફાઉન્ટેન જોવા એ એક અવિસ્મરણીય અનુભવ છે. તે કોઈણને મંત્રમુગ્ધ કરી દેશે. પુલવામા જતા પહેલા, તેમણે જમ્મુ અને કાશ્મીર પ્રવાસન વિભાગ દ્વારા પ્રતિષ્ઠિત સપ્તાહોની શ્રેણીમાં આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ડલ તળાવ ખાતે હાઉસબોટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું. ડલ સરોવરના સંરક્ષણ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે શક્ય તમામ સહયોગ આપી રહી છે. તેમણે કહ્યું કે ડલ સરોવર કાશ્મીરનું ગૌરવ અને ઓળખ છે. અમે વૈશ્વિક પ્રવાસન નકશા પર તેના ખોવાયેલા ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છીએ. આ અવસરે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને પીએમઓમાં રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ હાજર હતા.