જમ્મુમાં શનિવારે-રવિવારે રાત્રે એરબેઝ પર ડ્રોન અટેકની તપાસ હવે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીને સોંપવામાં આવી છે. આ અટેકમાં જમ્મુ એરબેઝને નિશાનો બનાવવામાં આવ્યો હતો.
ડ્રોન અટેકની તપાસ હવે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીને સોંપવામાં આવી
જમ્મુ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યો હતો
ડ્રોન દ્વારા વિસ્ફોટક અંદર મોકલવામાં આવ્યા હતા
જમ્મુમાં શનિવારે રવિવારે રાત્રે એરબેઝ પર થયેલા ડ્રોન અટેકની તપાસ હવે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીને સોંપવામાં આવી છે. આ એટેકમાં જમ્મુ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યો હતો. ડ્રોન દ્વારા વિસ્ફોટક અંદર મોકલવામાં આવ્યા હતા. જેના કારણે બે નાના ધમાકા થયા હતા.
આતંકી એન્ગલથી પણ કરવામાં આવશે તપાસ
સુરક્ષા એજન્સિઓ આ મામલાની તપાસ આતંકી એન્ગલથી પણ કરી રહી છે. પરંતુ ઘટનામાં 48 કલાક બાદ પણ ડ્રોન્સને લઈને કોઈ ચોક્કસ જાણકારી નથી મળી. એવામાં હવે આ મામલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે. એનઆઈએ ટૂંક સમયમાં જ આ મામલામાં કેસ દાખલ કરી શકે છે. જ્યાર બાદ તપાસ શરૂ કરી દેવામાં આવશે. એવો શક છે કે ડ્રોન એટેક પાછળ પાકિસ્તાની આતંકી સંગઠન હોઈ શકે છે.
A special bomb squad team of National Security Guard (NSG) is investigating the nature of the blast at Jammu Air Force Station. RDX or TNT likely used in the blast. Drones were controlled from across the border. Involvement of local handler also being investigated: Sources pic.twitter.com/9RxGsUnzIo
સોમવારે મોડી રાતે ડ્રોન જોવા મળ્યું હતું
મળતી માહિતી અનુસાર સોમવારે મોડી રાતે લગભગ 2.30 વાગે ડ્રોન જોવા મળ્યું હતું. જે થોડીવાર બાદ ગાયબ થઈ ગયું હતું. સુરક્ષાબળોનું આ ડ્રોન કુંજવાની, સુંજવાન અને કલચૂક વિસ્તારની પાસે જોવા મળ્યું છે. આર્મીને મોડી રાતે આ ડ્રોનની જાણકારી મળી હતી. પહેલું રતાનુચેકમાં રાતે 1.08 વાગે, કુંજવાનીમાં 3.09 વાગે અને કુંજવાનીમાં સવારે 4.19 મિનિટે ડ્રોન જોવા મળ્યું. સેનાની તરફથી કોઈ ફાયરિંગ કરાયુ નથી પણ તપાસ ચાલુ છે. ડ્રોન ઉંચાઈ પર હતું એટલે 3 જગ્યાઓએથી જોઈ શકાતું હતું. એજન્સી તપાસ કરી રહી છે કે આ એક જ ડ્રોન હતું કે પછી 3 અલગ ડ્રોન હતા.
શનિવારે મોડી રાતે એરબેઝ પર થયો હતો ડ્રોન હુમલો
જમ્મૂ કશ્મીરમાં આવેલ એરફોર્સ સ્ટેશન પર શનિવારે મોડી રાતે બે બ્લાસ્ટ થયા હતા. જે મામલે એક આંતકીની ધરપકડ કરવામાં આવી છે. બ્લાસ્ટ ડ્રોનની મદદ કરવામાં આવ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. જમ્મૂમાં આવેલ એરફોર્સ સ્ટેશન પર ગત 5 મિનિટના અંતરે બે બ્લાસ્ટ થયા હતા. આ વાતની જાણ થયા બાદ એનઆઈએની ટીમ તપાસ માટે એરફોર્ટ સ્ટેશન પોહચી ચુકી છે. સમગ્ર મામલે જમ્મૂ-કશ્મીર પોલીસે યુપીએ હેઠળ કેસ ફાઈલ કર્યો છે. આ બ્લાસ્ટમાં બે લોકો સામાન્ય ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
સ્ટેશન પરના બેરેકને નુકશાન
સ્ટેશન પરના બે બેરેકને નુકશાન પહોચ્યું છે. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે વિસ્ફોટક સામગ્રી ઈમારતના ધાબા પર પડી હતી. જેના કારણે બેરેક પૂરી રીતે ડિસ્ટ્રોય થઈ ગયું. જોકે બીજો બ્લાસ્ટ ઈમારતની સાથે ઓપન એરિયામાં થયો હતો, તેવી માહિતી સામે આવી છે.
ડ્રોનથી બ્લાસ્ટ થયા હોવાની આશંકા
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જમ્મૂ ટેકનિકલ એરપોર્ટ પર જે બે બ્લાસ્ટ થયા છે. તે બ્લાસ્ટ ડ્રોનની મદદથી કરવામાં આવ્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. બંને ધડાકા એયરપોર્ટની અંદર થયા છે. જેથી એવું માનવામાં આવી રહ્યું છે કે અહીયા ડ્રોન દ્વારા LED નાખવામાં આવ્યા હશે.
પાકિસ્તાન સામે શંકાની સોય
ડ્રોનના ઉપયોગથી બ્લાસ્ટની ખબર સાંભળીને પાકિસ્તાન સામે શંકા સેવાઈ રહી છે. આ ઘટનાને કારણે શ્રીનગર અને પંજાબના પઠાનકોટ સ્થિત એરફોર્સ પર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સાથેજ જમ્મૂમાં એક આંતકીની પણ ધરપકડ કરવામાં આવી છે. જેની પાસેથી વિસ્ફોટક સામગ્રીઓ મળી આવી છે.