જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણના સમાચાર છે. ન્યૂઝ એજન્સી એનએનઆઈના જણાવ્યાનુંસાર બુધવારે એટલે કે આજે પુલવામાના ટિકન વિસ્તારમાં આ અથડામણ ચાલી રહી છે. હાલમાં એ વાતની જાણકારી નથી કે સુરક્ષા દળોએ કેટલા આતંકવાદીઓને ઘેર્યા છે. 2 આતંકવાદી ઢાર કરવામાં આવ્યા છે. ફાયરિંગમાં એક સ્થાનીય વ્યક્તિ ઘાયલ થયો છે.
સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે
સુરક્ષા દળની ટીમ ટિકનમાં એક સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી કે ...
અચાનક તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો
સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધી કોઈ પ્રકારનું નુકશાન થયું નથી. અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળની ટીમ ટિકનમાં એક સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી કે અચાનક તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે.
હાલમાં બન્ને તરફથી ફાયરિંગ ચાલુ છે.
સુરક્ષાદળોને ટિકેન ગામમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સેનાના 55 આરઆર, સીઆરપીએફ અને સ્થાનીક પોલીસની એસઓજીએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતુ. તેવામાં પોતાને ઘેરાયેલા જોઈ આતંકીઓએફ ફાયરિંગ શરુ કરી દીધું હતુ. જેમાં સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર કર્ય હતા. હાલમાં બન્ને તરફથી ફાયરિંગ ચાલુ છે.
સતત કરી રહ્યા છે સુરક્ષા દળો આ કામ
ઉલ્લેખનીય છે કે સુરક્ષાદળો અને પોલીસ રાત દિવસ જમ્મુ કાશ્મીરને આતંકવાદ મુક્ત કરાવવા સતત અભિયાન ચલાવી રહ્યા છે. આ શ્રેણીમાં તેઓ અનેકવાર એક્ચ્યૂલ લાઈન ઓફ કન્ટ્રોલ પર આતંકવાદી ઠેકાણાને નેસ્તાનાબૂત કરવામાં સફળ રહ્યા છે. અનેક સ્થળ પરથી મોટી માત્રામાં ગોલાબારુદ અને હથિયારો જપ્ત કર્યા છે. ચાલુ વર્ષે 75 ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં 180થી વધું આતંકીને ઠાર કરવામાં આવ્યા છે. જેમાં 8થી વધું ઓપરેશન તો માત્ર શ્રીનગરમાં જ કરવામાં આવ્યા છે. શ્રીનગરમાં ચાલુ વર્ષે 18થી વધુ આતંકીને ઠાર કરાયા છે. જ્યારે 26થી વધું જેટલા માર્ગ ભટકેલા યુવકોને પાછા વાળવામાં પણ સફળતા મળી છે. જોકે આ ઓપરેશન દરમિયાન ચાલુ વર્ષે જમ્મૂ-કશ્મીર પોલીસના 19થી વધુ જવાન શહીદ થયા છે.