જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકીઓએ આજે ઇદના દિવસે જ બર્બરતા આચરીને એક મહિલાની ગોળી મારી હત્યા કરી નાખી હતી. આતંકીઓના ગોળીબારમાં એક યુવાન પણ ઘાયલ થયો છે. ગંભીર રીતે ઘાયલ યુવાનને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આ ઘટના બાદ સમગ્ર કાશ્મીર ખીણમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે.
ઘટના બાદ સુરક્ષાદળએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાકાપોરાના નારબલ ગામમાં આતંકીઓએ આજે સવારે નગેનાબાનુ નામની એક મહિલાની હત્યા કરી હતી. આતંકીઓના અંધાધૂંધ ગોળીબારમાં મહિલાનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે મોહંમદ સુલતાન નામનો એક યુવાન ઘાયલ થયો હતો. સુલતાનની હાલત ગંભીર છે.
આ ઘટનાની જાણ થતાં સુરક્ષાદળોની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે પણ આ ઘટના અંગે એફઆઇઆર દાખલ કરી છે. આજે સવારે જન્નતનશીન મોહંમદ યુસુફ લોનનાં પત્ની નગેનાના ઘરમાં આતંકીઓ ઘૂસી ગયા હતા અને તેમણે અંધાધૂંધ ફાયિરંગ શરૂ કર્યું હતું. આ ઘટનામાં નગેનાબાનુનું મોત થયું હતું. આ અગાઉ નગેનાના પતિ મોહંમદ યુસુફ લોનને પણ ૧૯ મે, ર૦૧૭ના રોજ આતંકીઓએ ઠાર માર્યા હતા.
આ અગાઉ સોમવારે રાતે શ્રીનગરના બહારના વિસ્તાર ખૂનમોહ ખાતે રહેનાર મીર અહેમદને આતંકીઓએ ગોળી મારી હતી. તે સ્થાનિક મસ્જિદમાં નમાજ અદા કરી બહાર આવતો હતો ત્યારે મિસ્જદથી થોડે દૂર મોટરસાઇકલ પર આવેલા બે યુવાનોએ તેને આંતરીને તેના પર ગોળીઓ વરસાવી હતી.
Jammu and Kashmir: Visuals from Narbal village of Kakapora, Pulwama district where terrorists fired at a woman while leaving a youth injured, today. The woman was declared brought dead to hospital while the youth is in critical condition. pic.twitter.com/DEWdLZLDo7
દરમ્યાન જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન દરમ્યાન થતા પથ્થરમારાને રોકવા માટે પોલીસતંત્ર સક્રિય બન્યું છે. સુરક્ષાદળોએ પથ્થર ફેંકતાં પથ્થરબાજ વિરુદ્ધ અેક ખાસ અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અભિયાન હેઠળ સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસની સ્પેશિયલ ઓપરેશન સ્કવોડના કમાન્ડોની એક જોઇન્ટ ટીમની રચના કરાઇ છે.