કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું જમ્મૂ કાશ્મીર હંમેશા કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે નહીં. એકવાર સુરક્ષાની સ્થિતિ સુધરે એટલે તેને રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. શાહે સોમવારે ભારતીય પોલીસ સેવાના 2018બેન્ચના પ્રોબેશનરો સાથે વાત કરતાં કહ્યું કે આર્ટિકલ370 હટાવ્યા બાદ રાજ્યમાં ન તો એક વખત ફાયરિંગ થયું છે અને ન કોઈ વ્યક્તિનો જીવ ગયો છે.
જમ્મૂ કાશ્મીર હંમેશા નહીં રહે કેન્દ્રશાસિતઃ અમિત શાહ
લોકોના લાભ માટે કેટલાક કડક નિર્ણય લેવા પડે છેઃ શાહ
ગૃહમંત્રીએ કહ્યું કે ફક્ત આર્ટિકલ 370થી કાશ્મીરની સંસ્કૃતિ અને ઓળખની રક્ષા કરી શકાય છે તો તે ખોટી વાત છે. ભારતીય સંવિધાનના આધારે દરેક ક્ષેત્રની ઓળખ સ્વાભાવિક રૂપે સંરક્ષિત છે. આર્ટિકલ 370નો દુરઉપયોગ સીમાપાર આતંકવાદનું મુખ્ય કારણ છે. કાશ્મીરના 196માંથી ફક્ત 10 પોલીસ સ્ટેશનમાં સીઆરપીએફની કલમ 144 લાગૂ છે. જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાનો મોટો નિર્ણય લેતા શાહે કહ્યું કે લોકોના લાભ માટે કેટલાક કડક નિર્ણય લેવા પડે છે. મોદી સરકારે કોઈ પણ ડર વિના જનહિતમાં નિર્ણય લીધો છે.
રાષ્ટ્રિય સુરક્ષા માટે NRC જરૂરી
શાહે રાષ્ટ્રિય નાગરિક રજિસ્ટરને ન ફક્ત રાષ્ટ્રિય સુરક્ષા માટે પણ તેને સુશાસન માટે પણ જરૂરી ગણાવ્યું છે. તેઓએ કહ્યું કે NRCને ફક્ત રાજનીતિના ચશ્માથી જોવા નહીં. દરેક નાગરિકો સુધી વિકાસનો લાભ પહોંચાડવાનું જરૂરી છે. ગૃહમંત્રીએ આઈપીએસ પ્રોબેશનર્સને એવી સેવાનો ભાગ હોવા માટે ગર્વ કરવા માટે પ્રોત્સાહિત કર્યા જે લોકોની સુરક્ષા નક્કી કરવા માટે સતત કામ કરી રહી છે.