જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મોટી સફળતા મળી છે. ટ્રક દ્વારા કાશ્મીર જઇ રહેલા બે આતંકીઓને સુરક્ષાદળો દ્વારા કુલગામમાં જવાહર ટનલ પાસે મંગળવારે મોડી સાંજે ધરપકડ કરી લેવામાં આવી છે. તેમની પાસેથી બે AK-47 રાઇફલ, IID થી ભરેલા બોક્સ મળ્યાં છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા તેઓની પુછપરછ કરવામાં આવી રહી છે.
આ અગાઉ પણ ટ્રકમાં આતંકીઓની ઘાટી જવાની પુષ્ટી થઇ ગઇ છે. પુલવામા હુમલામાં સામેલ જૈશ આતંકી પણ ટ્રક દ્વારા જ જમ્મૂ થઇને શ્રીનગર પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યું અનુસાર ગુપ્ત મળેલી સૂચનાના આધાર પર સુરક્ષા દળોએ જમ્મૂથી શ્રીનગર તરફ જઇ રહેલા ટ્રકને જવાહર ટનલ પાસે રોકી હતી.
તપાસ દરમિયાન બંને આતંકીઓને પકડવામાં સફળતા મળી. તેમની પાસે બે મેગેઝીનની સાથે એક AK-47 રાઇફલ, ત્રણ મેગઝીનની સાથે M-4 યૂએસ કાર્બાઇન, 12 મેગેઝીનની સાથે છ ચીની પિસ્તોલ અને IID થી ભરેલો બોક્સ મળ્યો. પોલીસ સૂત્રોએ આતંકીઓની ધરપકડની પૂષ્ટી કરી છે.
Based on inputs of Jammu & Kashmir Police, two suspects were arrested in a joint operation near Jawahar Tunnel, Kulgam midnight yesterday. An AK-47 rifle, an M4 US Carbine, 6 Chinese Pistols & magazines recovered from a truck coming from Jammu: Indian Army pic.twitter.com/en2VnfHkbL
સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલમાં પુછપરછ કરી તપાસ કરવામાં આવી રહી છે કે તેઓ ક્યાંથી આવી રહ્યાં હતા અને ક્યા જઇ રહ્યાં હતા અને હથિયાર તેમની પાસે કઇ રીતે પહોંચ્યા. સૂત્રોના જણાવ્યાં અનુસાર પકડાયેલા બંને આતંકીઓ સ્થાનિક છે. તેમની ઓળખ શોપિયા જિલ્લાના છોટીપોરાના બિલાલ અહમદ તેમજ શાહનવાજ અહમદ મીર તરીકે થઇ છે.