જમ્મૂ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં મંગળવારની સવારથી જ સુરક્ષાબળ અને આતંકવાદી વચ્ચે અથડામણ જોવા મળી છે. જેમાં ભારતીય સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. એક મળતાં અહેવાલ મુજબ સુરક્ષાબળે શોપિયા જિલ્લાના અવનીરા વિસ્તારમાં આતંકીઓ છુપાયાં હોવાના ઇનપુટ મળ્યાં હતા.
સેનાએ આતંકી છુપાયા હોવાના ઇનપુટ મળ્યા બાદ સર્ચ અભિયાન હાથ ધરી આ વિસ્તારને ઘેરી લીધો. સેના દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી બાદ આતંકીઓએ સેના પર ફાયરિંગ કર્યું. સેનાએ જવાબી કાર્યવાહી કરતાં બે આતંકી ઠાર માર્યા. જો કે હુજુ સુધી ઠાર મરાયેલાં આતંકીઓની ઓળખ થઇ નથી.
Jammu & Kashmir: Two terrorists have been neutralised in an encounter between terrorists and security forces which broke out earlier this morning, in Awneera area of Shopian district. Search operation is underway. (Visuals deferred by unspecified time) pic.twitter.com/9pQIc4n3N4
જમ્મૂ-કશ્મીરમાં આજે પણ દિવસની શરૂઆત આતંકીઓ અને સુરક્ષાબળ વચ્ચે અથડામણથી થઈ છે. કાશ્મીરના શોપિયામાં સુરક્ષાબળને 2 આતંકીઓ ઠાર મારવામા સફળતા મળી છે. શોપિયાના અવનીરામાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે.
જો કે હજુ પણ આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે. જો આતંકીઓ છૂપાયા હોવાની સૂચના મળ્યા બાદ સુરક્ષાબળે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને છૂપાયેલા આતંકીઓને ઠાર મારવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતથી અત્યારસુધીમાં 110થી પણ વધુ આતંકીઓનો ખાતમો સુરક્ષાબળે બોલાવ્યો છે.