જમ્મૂ-કાશ્મીમાં આતંકવાદીઓએ CRPFની ટીમ પર હુમલો કર્યો હતો. જેમાં 5 જવાન શહીદ થયા છે જ્યારે 3 જવાન ઇજાગ્રસ્ત થયા છે.
જમ્મૂ-કાશ્મીમાં આતંકવાદીઓએ CRPFની ટીમ પર હુમલો કર્યો હતો. અનંતનાગમાં બસ સ્ટેન્ડ પાસે કરેલા હુમલામાં 5 જવાન શહીદ થયા, જ્યારે 3 જવાન ઇજાગ્રસ્ત થયા છે. જોક એન્કાઉન્ટરમાં જવાનોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે.
કહેવાઇ રહ્યુ છે કે, અનંતનાગમાં બાઇક સવાર 2 આંતકી આવ્યા અને CRPF અને પોલીસ બળના જવાનો પર ફાયરિંગ શરૂ કર્યુ, જેમાં CRPFના જવાન ઘાયલ થયા. આ સાથે જ રાજ્ય પોલીસ દળના એક SHO પણ ઘાયલ થયો છે તેવું જણાવવામાં આવી રહ્યુ છે. એક જવાનની સ્થિતિ ગંભીર છે, જ્યારે ફાયરિંગમાં આંતકવાદી માર્યો ગયો, તો બીજા આંતકવાદીની શોધખોળ થઇ રહી છે. .
આ પહેલા જમ્મૂ-કાશ્મીરના પુંછમાં પાકિસ્તાને સોમવારને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ હતુ, જેમાં એક જવાન શહીદ થઇ ગયો હતો. ગોળીબારમાં એક જવાન ઘાયલ પણ થયો હતો. પીકિસ્તાનની તરફથી ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો.
#WATCH Jammu & Kashmir: Gunshots heard at the site of Anantnag terrorist attack in which 3 CRPF personnel have lost their lives & 2 have been injured, SHO Anantnag also critically injured. 1 terrorist has been neutralized in the operation. (Visuals deferred by unspecified time) pic.twitter.com/Uspen8iC4p
પાકિસ્તાનની મદદથી ઘણી વખત સીઝફાયરનો ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે. હદ તો ત્યારે થઇ જ્યારે પાકિસ્તાને ઇદના દિવસે પણ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ. ઇદના દિવસે પુલવામાં પત્થરબાજોએ સેનાના પેટ્રોલિંગ કરતી ટીમ પર પથ્થરમારો કર્યો, તો પુંછમાં પાકિસ્તાનમાં તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ.
સુત્રોનુસાર, પાકિસ્તાને 6 જૂન સુધી 1170 વખત, તો 2018માં 1629 વખત પાકિસ્તાને સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યુ છે. ગૃહ મંત્રાલયે 12 ડિસેમ્બર 2018ના વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આ વર્ષે આતંકી ગુનાઓની સંખ્યા ગત વર્ષની સરખામણીએ બમણી થઇ ગઇ.