જમ્મુ કાશ્મીરના બારામૂલામાં એક દુકાનદારની ગોળી મારવા જઈ રહેલા એક આતંકીને ભારતીય સુરક્ષાદળોએ ઠાર માર્યો છે.
માર્યા ગયેલા આતંકીએ થોડાક દિવસ પહેલા 2 નાગરિકોની હત્યા કરી હતી
આતંકી કયા આતંકી સંગઠન સાથે જોડાયેલો હતો એ જાણી શકાયુ નથી
સુરક્ષાદળોએ ઘાટીમાં સુરક્ષા વધારી દીધી
આતંકી કયા આતંકી સંગઠન સાથે જોડાયેલો હતો એ જાણી શકાયુ નથી
મનાઈ રહ્યું છે કે માર્યા ગયેલા આતંકીએ થોડાક દિવસ પહેલા 2 નાગરિકોની હત્યા કરી હતી. હજું સુધી એ વાતની જાણકારી નથી મળી શકી કે માર્યો ગયેલો આતંકી કયા આતંકી સંગઠન સાથે જોડાયેલો હતો. ભારતીય સુરક્ષાદળોએ હજું પણ સંપૂર્ણ વિસ્તાર ઘેરી રાખ્યો છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત કેટલાક દિવસોમાં કાશ્મીરમાં નિશાન બનાવી સામન્ય નાગરિકોની હત્યા કરવામાં આવી રહી છે. સતત થઈ રહેલા આ હુમલાને ધ્યાનમાં રાખીને સુરક્ષાદળોએ ઘાટીમાં સુરક્ષા વધારી દીધી છે.
આતંકી બારામૂલામાં એક દુકાનદારને ગોળી મારવાની ફિરાકમાં હતો
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી બહારના લોકો પર હુમલો વધી ગયો છે. આતંકી ખાસ કરીને બિન કાશ્મીરી મજૂરોને નિશાન બનાવી રહ્યા છે. આતંકીઓએ દક્ષિણ કાશ્મીરના કુલગામમાં બિહારથી 3 પ્રવાસીઓની ગોળી મારી દીધી હતી. જેમાંથી 2 લોકોના મોત થય છે. જ્યારે એક ઘાયલ થયા હતા. હત્યાના આ મામલા બાદ ભારતીય સુરક્ષાદળોએ આતંકીને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યુ હતુ. આ ઓપરેશનની વચ્ચે એક આતંકી બારામૂલામાં એક દુકાનદારને ગોળી મારવાની ફિરાકમાં હતો.
આતંકીએ બિહારના 2 મજૂરોની હત્યામાં આતંકી ગુલઝારની મદદ કરી હતી
મનાઈ રહ્યું છે કે આતંકી દુકાનદારને ગોળી મારવા જઈ જ રહ્યો હતો કે ભારતીય સુરક્ષાદળોએ તેને ઠાર કરી દીધો. આતંકી કયા આતંકવાદી સંગઠનથી હતો તે અંગે જાણકારી મળી શકી નથી. સુરક્ષાદળોના જણાવ્યાનુંસાર મરનાર આતંકી બિહારના નાગરિકોની હત્યામાં સામેલ હતો. મરનારા આતંકી પાસેથી 1 પિસ્ટલ, 1 લોડેડ મૈગેજીન અને 1 પાક ગ્રેનેડ મળ્યા છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે મરનારા આતંકીઓની ઓળખ કુલગામ જિલ્લાના જાવેદ આહ વાનીના રુપમાં થઈ છે. આ આતંકીએ બિહારના 2 મજૂરોની હત્યામાં આતંકી ગુલઝારની મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે આતંકી સંગઠનોના મદદગારોની ઓળખ માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.