જમ્મૂ- કાશ્મીરમાં 5 ઓગસ્ટથી કર્ફ્યૂની સ્થિતિ હતી. પરંતુ હવે મોટાભાગની જગ્યાઓએથી પાબંધીને હટાવી લેવામાં આવી છે. આજથી કાશ્મીરની દરેક સ્કૂલો ખોલી દેવામાં આવી છે. એવામાં સ્થિતિ પર કાબૂ મેળવવા ઘાટીમાં સુરક્ષાને વધારી દેવામાં આવી છે.
કાશ્મીર ઘાટીમાં આજથી ખૂલી શાળાઓ
5 ઓગસ્ટ બાદ આજે ખૂલી શાળાઓ
કસ્ટડીથી છૂટેલા નેતાઓએ કરી બેઠક
જમ્મૂ કાશ્મીરમાં આર્ટિકલ 370 પૂરો થયા બાદ હાલમાં સ્થિતિ સામાન્ય થવા લાગી છે. 5 ઓગસ્ટ પછી જમ્મૂ કાશ્મીરમાં કર્ફ્યૂની સ્થિતિ હતી. પરંતુ હવે મોટાભાગની જગ્યાએથી પાબંધી હટાવી લેવામાં આવી છે. આજથી કાશ્મીરની દરેક શાળાઓ પણ ખૂલી રહી છે અને તેને લઈને ઘાટીમાં સુરક્ષાને વધારી દેવામાં આવી છે.
કસ્ટડીથી છૂટેલા નેતાઓએ કરી બેઠક
ગાંધી જયંતિના અવસરે જમ્મૂમાં કસ્ટડીમાં રહેલા નેતાઓને છોડવામાં આવ્યા હતા. કેટલાક નેતાઓ કસ્ટડીમાં હતા અને કેટલાક નજરકેદ. ત્યારબાદ નેશનલ કોન્ફ્રેંસના નેતાઓએ બેઠક કરી અને તેમાં આવનારા બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલ પર ચર્ચા કરી. સરકાર તરફથી નેશનલ કોન્ફ્રેંસ(NC), કોંગ્રેસ અને જમ્મૂ કાશ્મીર નેશનલ પેંથર્સ પાર્ટી જેવા કેટલાક રાજકીય દળોના નેતાઓને જમ્મૂમાં મુક્ત કરવામાં આવ્યા હતા. તેમાં NCના દેવેન્દ્ર રાણા અને એસએસ સલાથિયા, કોંગ્રેસના રમન ભલ્લા અને પેંથર્સ પાર્ટીના નેતા હર્ષદેવ સિંહની નજરકેદ ખતમ કરવામા આવી.
હજુ પણ નજરકેદ છે ઘાટીના નેતા
પ્રશાસનની તરફથી ભલે જમ્મૂના નેતાઓને છૂટ આપવામાં આવી હોય પરંતુ ઘાટીના નેતાઓ હજુ પણ નજરકેદ છે. તેમાં જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અમર અબ્દુલ્લા, મહબૂબા મુફ્તી, ફારુક અબ્દુલ્લાસ, સજ્જાદ લોનના નામ પણ સામેલ છે. આ દરેક નેતાઓને 5 ઓગસ્ટથી નજરકેદ કરવામાં આવ્યા છે. જેથી ઘાટીમાં કોઈ રાજકીય કાર્યક્રમ કરી શકે નહીં.
હજુ પણ ઘાટીમાં છે કેટલીક પાબંદીઓ
5 ઓગસ્ટે જ્યારે આર્ટિકલ 370 હટાવ્યો ત્યારે જમ્મૂ અને કાશ્મીરમાં દરેક શાળાઓ બંધ કરવામાં આવી હતી. કેટલાક દિવસો બાદ જમ્મૂથી કલમ 144 સહિત અનેક પાબંદીઓને હટાવી લેવામાં આવી હતી. હવે આજથી શાળાઓ પણ ખોલી દેવામાં આવી છે. કાશ્મીર ઘાટીમાં ધીરે ધીરે પાબંધીઓ હટાવવામાં આવી રહી છે. પહેલાં અહીં ફોનની પાબંધી હટાવી દેવામાં આવી હતી અને હવે શાળાઓ પણ ખોલવામાં આવી રહી છે.