જમ્મુ-કશ્મીરના રાજૌરીના જંગલોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગ એટલી ભયંકર છે કે તેના પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસ નિષ્ફળ સાબિત થયા છે.
સ્થાનિકોનું કહેવું છે કે પરિસ્થિતિ બેકાબૂ છે અને આગ અન્ય વિસ્તારોને પણ પોતની લપેટમાં લઈ રહી છે. અધિકારીઓ અને કર્મચારીઓ પણ આગ બુઝાવાના સતત પ્રયાસો કરી રહ્યાં છે.
આ ઘટનાની સૌથી મોટી મુશ્કેલી એ છે કે ફાયર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી શકે તેમ નથી. તાજેતરમાં જમ્મુના ત્રિકુટા પહાડ પર લાગેલી આગમા લગભગ 25 હજાર શ્રદ્ધાળુઓ ફસાયા હતા.
જે આગ પર કાબૂ મેળવવા માટે ઈન્ડિયન એરફોર્સની પણ મદદ લેવી પડી હતી. આ આગ લાગવા પ્રત્યે એવી શંકા સેવાઈ રહી છે કે કોઈએ બીડી કે સિગારેટ પીને તેને ઓલવ્યા વિના ફેંકી દીધી હોવાથી આગ લાગી હોઈ શકે છે.