આજથી પ્રવાસીઓ ધરતી પરના સ્વર્ગ કહેવાતા કાશ્મીરની ખૂબસૂરત વાદીઓમાં ફરવા જઇ શકશે. કાશ્મીરના પ્રવાસ પર છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી મુકાયેલ પ્રતિબંધ આજથી હટી ગયો છે. બે મહિના પૂર્વે આતંકી ખતરાને ધ્યાનમાં લઇ પ્રવાસીઓ માટે જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો એટલું જ નહીં, એ વખતે જે પ્રવાસીઓ જમ્મુ-કાશ્મીરમાં હતા તેમને પણ તાત્કાલિક કાશ્મીર છોડી જતાં રહેવા આદેશ અપાયો હતો.
જમ્મૂ-કાશ્મીરમાં આજથી પ્રવાસીઓ માટે છૂટછાટ
રાજ્યપાલે ટ્રાવેલ એડવાઇઝરી પરત લીધી
પ્રવાસીઓ માટે 2 ઓગસ્ટથી પ્રતિબંધ મૂકાયો હતો
રાજ્યપાલે કાશ્મીર પ્રવેશ પરના પ્રતિબંધને હટાવવાનો લીધો હતો નિર્ણય
તાજેતરમાં રાજ્યપાલ સત્યપાલ મલિકે સુરક્ષા સમીક્ષા બેઠકમાં કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કર્યા બાદ પ્રવાસીઓના કાશ્મીર પ્રવેશ પર પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લેવાયો હતો.
સરકારે પ્રવાસીઓને કાશ્મીરમાં પ્રવેશ પર લગાવી હતી રોક
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે આતંકી ખતરા અંગે મળેલ આઇબીના ઇનપુટને ટાંકીને અમરનાથ યાત્રા પણ અધવચ્ચે અટકાવાઇ હતી. ત્યારબાદ કોઇ પણ પ્રવાસીને કાશ્મીરમાં પ્રવેશની મંજૂરી અપાઇ ન હતી. આ પગલાના ત્રણ દિવસ બાદ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ રદ કરવાનો નિર્ણય કર્યો હતો અને રાજ્યનું બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજન કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સરકારે કાશ્મીરમાં તમામ ફોન અને મોબાઇલ સેવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ દરમ્યાન અનેક નેતાઓને અટકાયતમાં લેવાયા હતા.
સ્થિતિ સામાન્ય બનતા ધીમે ધીમે પ્રતિબંધમાં અપાઇ છૂટછાટ
હાલ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બનતાં ધીમે ધીમે વિવિધ પ્રતિબંધમાં છૂટછાટ અપાઇ રહી છે. રાજ્યપાલ હવે દરરોજ સાંજના ૬ થી ૮-બે કલાક બેઠક યોજીને કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. આ બેઠકો કેટલાક નિર્ણયો માં છૂટછાટ અપાઇ રહી છે, જેમ કે હવે શાળા-કોલેજો પણ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે .
પ્રવાસીઓને જરૂરી મદદ પુરી કરાશે
જમ્મૂ-કાશ્મીરમાં પ્રવાસીઓ પર આવનજાવન પર છેલ્લા બે મહિનાથી લગાવામાં આવેલો પ્રતિબંધન હટાવી દેવામાં આવ્યો છે. જમ્મૂ-કાશ્મીરના તંત્ર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં જણાવાયું છે કે પ્રવાસીઓને જરૂરી મદદ આપવામાં આવશે.
Govt of Jammu & Kashmir: Security advisory requesting tourists visiting J&K to curtail their stay in the Kashmir valley, is hereby withdrawn. Tourists desirous of undertaking visiting to the state shall be provided all necessary assistance & logistical support. pic.twitter.com/LOUcFT7x4u