રવિવારે પુંછમાં અથડામણ દરમિયાન 3 જવાન સહિત 1 આતંકી અથડામણમાં થયા હતા ઘાયલ
ઘાયલ આતંકી જિયા મુસ્તફા નું ઘટના સ્થળે જ મોત
જિયા મુસ્તફા કાશ્મીરી પંડિતોના નદીમર્ગ નરસંહારનો માસ્ટર માઈન્ડ હતો
જિયા મુસ્તફાને આતંકીઓને શોધવા માટે ભાટા દૂરિયા લઈ જવાયો હતો
જમ્મુ- કાશ્મીરમાં રવિવારે 2 પોલીસકર્મી અને એક આર્મી અધિકારી આતંકીઓની સાથેની અથડામણમાં ઘાયલ થયો હતો. ગત 2 અઠવાડિયાથી પુંછ જિલ્લાના પહાડોમાં સ્થિતિ ગાઢ જંગલમાં આતંકીઓ સાથેની અથડામણ ચાલ રહી છે. આ એન્કાઉન્ટરમાં 11 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન 9 આર્મી જવાન શહીદ થયા છે. બીજી તરફ જમ્મુ- કાશ્મીર પોલીસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પુંછ અથડામણ દરમિયાન પાકિસ્તાની લશ્કર આતંકી જિયા મુસ્તફાને આતંકીઓને શોધવા માટે ભાટા દૂરિયા લઈ જવાયો હતો.
ફાયરિંગ ચાલુ હોવાથી તેની લાશને સ્થળ પરથી તાત્કાલીક કાઢી શકાઈ નહોંતી
અંગ્રેજી અખબારની રિપોર્ટ મુજબ સર્ચ ઓપરેશન દરમિયાન આર્મી અને પોલીસની સંયુક્ત ટીમ પર આતંકીઓએ ફરીથી ફાયરિંગ શરુ કરી દીધું. આ ફાયરિંગમાં 2 પોલીસકર્મી અને એક આર્મી અધિકારી તથા આતંકી જિયા મુસ્તફા ઘાયલ થયો હતો. જેનું મોત થયું અને ફાયરિંગ ચાલુ હોવાથી તેની લાશને સ્થળ પરથી તાત્કાલીક કાઢી શકાઈ નહોંતી.
જિયા મુસ્તફા કાશ્મીરી પંડિતોના નદીમર્ગ નરસંહારનો માસ્ટર માઈન્ડ હતો
પછીથી પોલીસે ખરાઈ કરતા કહ્યું કે મુસ્તફાની બોર્ડી એન્કાઉન્ટરની સાઈટથી કાઢવામાં આવી છે. શનિવારે મુસ્તફને પોલીસે 10 દિવસના રિમાન્ડ પર કોટ બલવલ જેલથી મેંઢર લઈ ગઈ હતી. જિયા મુસ્તફા કોટ બલવલ જેલમાં બંધ હતી. જ્યાંથી તે પાકિસ્તાન સ્થિત લશ્કરના નેતાઓની સાથે કથિત રુપથી સંપર્કમાં હતો. મુસ્તફાની 2003માં જમ્મુ - કાશ્મીર પોલીસે ધરપકડ કરી હતી અને તેને એ જ વર્ષમાં માર્ચમાં થયેલા કાશ્મીરી પંડિતોના નદીમર્ગ નરસંહારનો માસ્ટર માઈન્ડ મનાતો હતો.
મુસ્તફા 24 કાશ્મીરી પંડિતોની હત્યામાં સામેલ હતો
2003માં ડીજીપી સૂરીએ 10 એપ્રિલે મુસ્તફાની ધરપકડનું એલાન કર્યું હતુ. આ મોટી સફળતા ગણાવાયી હતી. સૂરીએ તે સમયે મુસ્તફાને લશ્કરનો ડિસ્ટ્રિક્ટ કમાન્ડર ગણાવ્યો હતો. જે 24 કાશ્મીરી પંડિતોની હત્યામાં સામેલ હતો. આ કાશ્મીરી પંડિત પુલવામાં જિલ્લાના નદીમાર્ગ ગામમા પોતાના ઘરોમાં રોકાયેલા હતા જ્યારે તેમને મારવામાં આવ્યા હતા.
11 પુરુષો, 11 મહિલાઓ અને 2 બાળકોને ઘરની બહાર ઉભા કરી ગોળી મારી દીધી
1990માં ઘાટીમાં કાશ્મીરી પંડિતોના પલાયન સમયે વધારે લોકો નદીમર્ગ છોડી ગયા હતા. પરંતુ 50 જેટલા લોકો ઘાટીમાં રોકાવાનો નિર્ણય કર્યો હતો. 23 માર્ચ 2003માં સેનાના ડ્રેસમાં આવેલા આતંકીઓએ 11 પુરુષો, 11 મહિલાઓ અને 2 બાળકોને ઘરની બહાર ઉભા કરી ગોળી મારી દીધી. આ ઘટના બાદ વધેલા કાશ્મીરી પણ ઘાટી છોડી પાછા ચાલ્યા ગયા હતા. પુછપરછમાં મુસ્તફાએ કહ્યું કે પાક. સ્થિત લશ્કર એ તૈયબાએ કાશ્મીરી પંડિતોના નરસંહાર માટે કહેલું.