જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં ભારતીય સેનાના એક જવાને પોતાના જ સાથી પર કથિત રીતે ગોળીબાર કર્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે.
જમ્મુ-કશ્મીરમાં દુર્ઘટના
સેનાના જવાને પોતાના જ સાથી પર કર્યો ગોળીબાર
સુરનકોટ વિસ્તારમાં બની ઘટના
મળતી જાણકારી પ્રમાણે, જવાને જ પોતાના જ સાથી પર ગોળીબાર કરીને તેને મોતને ઘાટ ઉતાર્યો છે. આ જાણકારી સ્થાનિક અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, જિલ્લાના સુરનકોટ ક્ષેત્ર સ્થિતિ સેનાના એક યૂનિટમાં આ ઘટના ઘટી હતી.
6 માર્ચ 2022ના રોજ પંજાબમાં પણ બની હતી ગોળીબારની ઘટના
પંજાબના અમૃતસરમાં બીએસએફની મેસમાં એક જવાને ફાયરીંગ શરૂ કરી દીધું હતું. જાણકારી અનુસાર જોઈએ તો, ગોળી વાગવાથી 8થી 10 જેટલા જવાનો ઘાયલ થઈ ગયા હતાં, તો વળી 5 જવાનોના મોત પણ થયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ફાયરીંગ કરનારા જવાને પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. તમામ ઘાયલોને ગુરૂ નાનક દેવ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જાણકારી અનુસાર જોઈએ તો, ગોળી ચલાવનારો શખ્સ બીએસએફનો જ જવાન છે. આરોપ છે કે, તેની પાસેથી વધારે કામ લેવામાં આવી રહ્યું હતું.
5 જવાનોનો થયાં હતા મૃત્યુ
કહેવાય છે કે, બીએસએફના કોન્સ્ટેબલ સુતપ્પાએ ગોળી ચલાવી હતી. તે મહારાષ્ટ્રનો રહેવાસી છે. વધારે ડ્યૂટી લાગવાના કારણે સુતપ્પા ખૂબ જ પરેશાન હતો. તેને લઈને તેણે એક અધિકારી સાથે બોલાચાલી પણ થઈ હતી. રવિવારની સવારે તેણે પોતાની રાઈફલથી ફાયરીંગ શરૂ કરી દીધું હતું. ગોળી ચલાવ્યા બાદ મેસમાં ભાગદોડ મચી ગઈ હતી અને કેટલાય લોકો ઘાયલ થઈ ગયા હતા. આ ઘટના બાદ ત્યાં બે જવાનોના મોત પણ થઈ ગયા હતા. બાકીને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
ગોળીબાર બાદ સુતપ્પાએ ખુદને પણ ગોળી મારી દીધી હતી. ઘટનાસ્થળે તુરંત બીએસએફના અધિકારી પહોંચ્યા હતા. મૃતકોના શબને પોલીસે કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ઘાયલોના ઘરવાળાઓને પણ જાણકારી આપવામાં આવી છે.