જમ્મુ-કાશ્મીરમાંથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
જમ્મૂ કશ્મીરના શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો
શ્રીનગરના અમિરા કદલ માર્કેટમાં થયો હુમલો
પોલીસકર્મી સહિત અનેક લોકો થયા ઈજાગ્રસ્ત
શ્રીનગરમાં આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો હતો જેમાં 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આતંકવાદીઓના આ હુમલામાં એક નાગરિકનું મોત થયું છે.
Jammu and Kashmir: Several injured including police personnel in a grenade attack at Amira Kadal market, Srinagar. All the injured have been shifted to hospital: Police pic.twitter.com/mfhDhlKD2v
જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરને ફરી એકવાર આતંકીઓએ નિશાન બનાવ્યું છે. બપોરે આતંકવાદીઓએ અમીરા કદલ માર્કેટમાં ગ્રેનેડથી હુમલો કર્યો હતો. પ્રારંભિક માહિતી અનુસાર, ગ્રેનેડ હુમલામાં ઘણા પોલીસકર્મીઓ ખરાબ રીતે ઘાયલ થયા છે.
#UPDATE | One civilian died in the grenade attack at Amira Kadal market in Srinagar.
આતંકવાદીઓના અચાનક હુમલાથી વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. હાલમાં ગ્રેનેડ હુમલો કોણે કર્યો અને કયા હેતુથી કર્યો તેનો ખુલાસો થયો નથી. આતંકવાદીઓને પકડવા માટે પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે.
મોટી હોનારત ટળી
મળતી માહિતી મુજબ, જે સમયે આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો તે સમયે અમીરાકદલ માર્કેટમાં સુરક્ષાદળોની ટુકડી હાજર હતી અને સુરક્ષાદળો આતંકીઓના નિશાના પર હતા, પરંતુ જ્યારે તેમણે ગ્રેનેડ ફેંક્યો ત્યારે તે લક્ષ્ય ચૂકી ગયો. અને ગ્રેનેડ મુખ્ય બજાર તરફ પડ્યો.