લોકસભા ચૂંટણીને પ્રભાવિત કરવા આતંકી હુમલા થઈ શકે છે અને આતંકીઓએ ત્રણ ટીમ બનાવી હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં અફઘાનિસ્તાનના બોમ્બ એક્સપર્ટ પણ સામેલ છે. આમ સમગ્ર જમ્મૂ-કશ્મીરમાં આગામી 48થી 72 કલાકમાં ફિદાયીન હુમલાના પગલે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
લોકસભા ચૂંટણી પહેલા દેશમાં ફિદાયીન આતંકી હુમલાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. લોકસભા ચૂંટણીને પ્રભાવિત કરવા આતંકી હુમલા થઈ શકે છે અને આતંકીઓએ ત્રણ ટીમ બનાવી હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં અફઘાનિસ્તાનના બોમ્બ એક્સપર્ટ પણ સામેલ છે. આમ સમગ્ર જમ્મૂ-કશ્મીરમાં આગામી 48થી 72 કલાકમાં ફિદાયીન હુમલાના પગલે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુપ્તચર વિભાગે આતંકી હુમલાને લઈને સમગ્ર રાજ્યમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના કોઈ પણ મહત્વપૂર્ણ વિસ્તારમાં IEDથી લેસ સ્કોર્પિયો કારચાલક સુસાઈડ આંતકી હુમલો કરી શકે તેવા ગુપ્તચર વિભાગના અહેવાલ છે. ગુપ્તચર વિભાગના અહેવાલ બાદ રાજ્યની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને સુરક્ષાબળ પણ હાઈ અલર્ટ પર છે.
ગુપ્તચર વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર, કશ્મીર ઘાટીમાં સરહદ પાસેના વિસ્તારમાં બે ગાઈડોને ફિદાયીન હુમલામાં મદદ કરવા માટે પણ તૈનાત કરવામાં આવ્યા છે. આગામી 48થી 72 કલાકમાં આતંકી હુમલાની સંભાવના છે. જેને લઇને ભારતીય સેના, જમ્મૂ-કશ્મીર પોલીસ, વિશેષ ઓપરેશન ગ્રૂપ એટલે કે SOG અને CRPFને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.
આ અલર્ટ બાદ QRT એટલે કે ક્વીક રિસ્પોન્સ ટીમને પણ સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. આ સિવાય નેશનલ હાઈવે નકક્સ અને બાઈલાસ નાકાને પર પણ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુપ્તચર એજન્સીઓએ 5થી 9 એપ્રિલ દરમિયાન જૈશ એ મોહમ્મદના આતંકી હુમલો કરી શકે તેવા અહેવાલ આપ્યા હતા.