ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન (Imran Khan) વચ્ચે કાશ્મીર પર ચર્ચાની ખબર પર ભારતે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે આ મુદ્દા પર નવી દિલ્હીના વલણને લઇને બેઇજીંગ સારી રીતે જાણ છે. વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમારા આંતરિક મુદ્દા પર અન્ય દેશ ટીપ્પણી ન કરે.
શી જિનપિંગ અને ઇમરાનની મુલાકાતને લઇને ભારતની પ્રતિક્રિયા
કાશ્મીર ભારતનો આતંરિક મુદ્દો છે
તેના પર અન્ય કોઇ દેશ ટીપ્પણી ન કરે
ચીનના રાષ્ટ્રપતિ અને પાકિસ્તાનની પીએમ મુલાકાતને લઇને ભારતની પ્રતિક્રિયા
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઇમરાન ખાચે વચ્ચે થયેલી બેઠકમાં કાશ્મીર મુદ્દા પર ચર્ચા થઇ હોવાના ચીનના સરકારી મીડિયામાં આવેલા સમાચાર બાદ ભારતે તીખી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલય દ્વારા કાશ્મીર મુદ્દાને લઇને જણાવાયું છે કે આ ભારતનો આતંરિક મુદ્દો છે અને તેના પર અન્ય કોઇ દેશ ટીપ્પણી ન કરે.
શી જિનપિંગે ઇમરાનને કાશ્મીર પર આપ્યું આ નિવેદન
ચીનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન વચ્ચે યોજાયેલી બેઠકમાં જિનપિંગે કહ્યું કે કાશ્મીરની સ્થિતિ પર ચીન સતત નજર રાખી રહ્યું છે. જિનપિંગે આશા વ્યક્ત કરતાં કહ્યું કે સંબંધ પક્ષ શાંતિપૂર્ણ બેઠક દ્વારા આ મુદ્દે હલ કરી શકે છે.
ચીનના રાષ્ટ્રપતિના નિવેદન પર ભારતની પ્રતિક્રિયા
મીડિયામાં છપાયેલા સમાચાર પર ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું છે કે અમે શી જિનપિંગ અને ઇમરાન ખાનની બેઠકને સમાચાર વાંચ્યા, જેમાં કાશ્મીર પર તેમના વચ્ચે ચર્ચા કરવામાં આવી. ભારતનું સતત સ્પષ્ટ વલણ રહ્યું છે કે જમ્મૂ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. ચીન અમારા વલણ અંગે જાણે છે. ભારતના આંતરિક મુદ્દા પર અન્ય દેશે ટીપ્પણી ન કરવી જોઇએ.
Raveesh Kumar,MEA: India’s position has been consistent and clear that Jammu & Kashmir is an integral part of India. China is well aware of our position. It is not for other countries to comment on the internal affairs of India. 2/2 https://t.co/qBoXbiJMOR