સરહદ પર પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ભારતીય સેનાએ થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનને જોરદાર સબક શીખવાડ્યો હતો જે બાદ આજે ફરી પાકિસ્તાને નાપાક હરકત કરી છે.
પાકિસ્તાને ફરી તોડ્યું સીઝફાયર
ભારતનો એક વીર જવાન શહીદ
ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
નાપાક હરકત
જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ જ છે. સરહદ પર પાકિસ્તાન તરફથી સતત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે જેમાં ભારતીય સેનાની ચોકી અને રહેણાક વિસ્તારોને નુકસાન પહોંચડવામાં આવી રહયું છે. પાકિસ્તાન તરફથી થયેલ ગોળીબારમાં ભારતે એક વીર સપૂત ગુમાવ્યો છે.
Jammu and Kashmir: One Army personnel has lost his life in ceasefire violation by Pakistan in Nowshera sector of Rajouri district
રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું જેમાં ભારતનો એક જવાન શહીદ થઇ ગયો, ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે.
રવિવારે આખી રાત ગોળીબાર
રવિવારે પણ હિરાનગરમાં પાકિસ્તાની સૈનિકોએ ગોળીબાર કર્યો હતો અને આંખી રાત આ ગોળીબાર ચાલુ રહ્યો. પાકિસ્તાની સૈનિકોએ મણીયારી, સતપાલ જેવી પોસ્ટને નિશાને બનાવી હતી અને રહેણાક વિસ્તારોમાં પણ નુકસાન પહોંચાડ્યું. નોંધનીય છે કે પાકિસ્તાન આ ગોલીબાર કરીને આતંકવાદીઓને ઘુસાડવાની ફિરાકમાં છે.