કાશ્મીરમાં જુમ્માની નમાજ હેઠળ લોકોના આવવા અને જવા પર મુકાયેલા પ્રતિબંધોના એક દિવસ બાદ શનિવારે ખીણના મોટાભાગના ક્ષેત્રમાંથી પ્રતિબંધ હટાવી દેવાયો છે. અધિકારીઓએ બતાવ્યું કે ખીણના મોટાભાગના વિસ્તારોથી શનિવારે સવારે પ્રતિબંધ હટાવી દેવાયા.
એમણે બતાવ્યું કે શહેરના મોટાભાગના વિસ્તારોમાંથી રસ્તા પરના અવરોધ દૂર કરી દેવાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે કાનૂન વ્યવસ્થા બનાવી રાખવા માટે સુરક્ષા દળોને તહેનાત કરાયા છે. જુમ્માની નમાજ બાદ કાનૂન વ્યવસ્થાની સમસ્યા પેદા થવાની આશંકાને ધ્યાનમાં રાખી શુક્રવારે ખીણમાં લોકોના આવવા અને જવા પર પ્રતિબંધ મુકી દેવાયો હતો.
માત્ર એમ્બુલેન્સ અને કટોકટીની સ્થિતિમાં જ લોકોને આવવા અને જવાની અનુમતિ હતી. અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે સ્થિતિ શાંતિપૂર્ણ રહી અને ખીણમાં ક્યાંય કોઇ અપ્રિય ઘટના બની નથી. એમણે જણાવ્યું કે ખીણમાં શનિવારે સતત 27માં દિવસે જનજીવન પ્રભાવિત રહ્યું. બજાર બંધ રહ્યા, સાર્વજનિક વાહનવ્યવહાર રોડ પર જોવા નહોતા મળ્યા અને સ્કૂલો પણ બંધ રહી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે ખીણમાં સ્થિતિ સુધરતા મોટાભાગના સ્થાનો પર લેન્ડલાઇન ટેલીફોન સેવા આરંભ કરી દેવાઇ છે. પરંતુ અહીનું મુખ્ય વ્યાપારી કેન્દ્ર લાલ ચોક અને પ્રેસ એન્કલેવમાં આ સેવા શરૂ કરાઇ નથી. કેન્દ્રે જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્યોનો દરજ્જો આપતી બંધારણની અનુચ્છેદ 370ને હટાવવાની અને એને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાની 5 ઓગસ્ટે જાહેરાત કરી હતી, ત્યારથી મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ છે.