પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી ઉપર આવી રહ્યું નથી. દરરોજ સરહદ પારથી આંતકીઓ ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા હોવાના સમાચાર સામે આવતા હોય છે જેને ભારતીય સૈનિકો જડબાતોડ જવાબ આપી નિષ્ફળ બનાવી દેતા હોય છે. આ જ ઘટનામાં મંગળવારે ભારતીય સેનાએ પાકિસ્તાન તરફથી સરહદ ક્રોસ કરવાનો પ્રયત્ન કરી રહેલા બે આતંકીઓને ઠાર માર્યા જ્યારે એક આતંકી સેનાની ફાયરિંગમાં ઘાયલ થઇ ગયો.
પાકિસ્તાન તરફથી થઇ રહ્યું સીઝફાયરનું ઉલ્લંઘન
ફાયરિંગની વચ્ચે ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરતાં આતંકીઓ
પ્રાપ્ત મળતી જાણકારી મુજબ રાજૌરી જિલ્લાના નૌશેરા સેકટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકીઓ દ્વારા કરવામાં આવેલી ઘૂસણખોરીના એક મોટા પ્રયત્નને નિષ્ફળ બનાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે આતંકીઓની ઘૂસણખોરી સિવાય પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન પણ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરમાં કલમ-370 હટાવ્યાંના એક વર્ષ પુરુ થઇ રહ્યું છે. એવામાં પાકિસ્તાન તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે જમ્મૂ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવામાં આવે. આ જ કારણ છે કે પાકિસ્તાન સમર્થિત આતંકી સરહદ પાર કરી આવવાનો પ્રયત્ન કરવા લાગ્યા છે. છેલ્લા ઘણા દિવસોમાં આ પ્રયત્ન થયા છે, પરંતુ સેનાએ જડબાતોડ જવાબ આપી દરેક વખતે નિષ્ફળ બનાવી દીધો છે.
આતંકીઓને ઘૂસણખોરી કરવા માટે પાકિસ્તાનની સેના પણ મદદ કરતી હોય છે, જેના માટે સરહદ પારથી LoC પર ફાયરિંગ કરી ભારતીય સેનાના જવાનોનું ધ્યાન ભટકાવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જેથી તકનો ફાયદો ઉઠાવીને આતંકી સરહદ પાર કરી શકે. હવે 5 ઓગસ્ટ પહેલા આતંકીઓ તરફથી આ વિસ્તારોમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આતંકીઓ તરફથી કોઇ તક છોડવામાં આવી રહી નથી.