જમ્મુ-કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ હમણાંથી ખુબ ચિંતિત છે અને તેમની આ ચિંતાનું કારણ ચાઈનીઝ સ્ટીલ બુલેટ બની છે. અનંતનાગ હુમલાની તપાસ કરી રહેલા એક અધિકારીએ જમાવ્યું કે, સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકી પાસેથી એસૉલ્ટ રાઈફલ ઉપરાંત ચાઈનીઝ સ્ટીલ બુલેટનો જથ્થો પણ મળી આવ્યો છે. આતંકીઓએ જમ્મુ-કાશ્મીરમાં સ્ટીલ બુલેટનો ઉપયોગ ઓચિંતો વધારી દેતા સુરક્ષા એજન્સીઓ અને સેનાના અધિકારીઓ ચિંતામાં મૂકાયા છે.
જમ્મુ-કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ હમણાંથી ખુબ ચિંતિત છે અને તેમની આ ચિંતાનું કારણ ચાઈનીઝ સ્ટીલ બુલેટ (Chinese steel bullets) બની છે. કાશ્મીરમાં સક્રિય ખતરનાક આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ (terrorists) હવે પરંપરાગત ગોળીઓના બદલે ચીનમાં બનેલી સ્ટીલ બુલેટનો ઉપયોગ કરવા લાગ્યા છે.
સૌથી મોટી વાત એ છે કે, આ ગોલીઓ પોલીસ અને સેનાના બુલેટપ્રૂફ જેકેટ અને બુલેટપ્રૂફ વાહનોને પણ આસાનીથી વિંધી શકવામાં સક્ષમ છે. 12 જૂને અનંતનાગમાં સુરક્ષાદળો પર થયેલા હુમલામાં પણ આતંકીઓએ તેમની રાઈફલમાંથી ચાઈનીઝ સ્ટીલ બુલેટ છોડી હતી. આ હુમલામાં રાજ્ય પોલીસના એક ઈન્સ્પેક્ટર અરશદ ખાન ઉપરાંત સીઆરપીએફના પાંચ જવાનો શહીદ થયા હતા.
અનંતનાગ હુમલાની તપાસ કરી રહેલા એક અધિકારીએ જમાવ્યું કે, સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકી પાસેથી એસૉલ્ટ રાઈફલ ઉપરાંત ચાઈનીઝ સ્ટીલ બુલેટનો જથ્થો પણ મળી આવ્યો છે. આતંકીઓએ જમ્મુ-કાશ્મીરમાં સ્ટીલ બુલેટનો ઉપયોગ ઓચિંતો વધારી દેતા સુરક્ષા એજન્સીઓ અને સેનાના અધિકારીઓ ચિંતામાં મૂકાયા છે. ચોંકાવનારી વાત એ છે કે, પહેલા જ્યારે આતંકીઓ દ્વારા ચાઈનીઝ સ્ટીલ બુલેટનાં ઉપયોગની માહિતી બહાર આવી હતી ત્યારે સુરક્ષા એજન્સીઓએ એવું કહીને વાત દબાવવાની કોશિશ કરી હતી કે, એકાદ આતંકી કમાન્ડર પાસે જ સ્ટીલ બુલેટ હોય તેવી શક્યતા છે.
પહેલી વખત પુલવામા હુમાલામાં વપરાઈ હતી ચાઈનીઝ સ્ટીલ બુલેટ પહેલી વખત જૈશના આતંકવાદીઓએ ચાઈનીઝ સ્ટીલ બુલેટનો ઉપયોગ પુલવામામાં 27 ડિસેમ્બર, 2017ના રોજ જિલ્લા પોલીસ લાઈન અને લિથપોરામાં સીઆરપીએફ કેમ્પ પર કરેલા હુમલા દરમિયાન કર્યો હતો. આ બંને આત્મઘાતી હુમલા હતા, જેને જૈશનાં આતંકીઓએ અંજામ આપ્યો હતો.
ત્યાર બાદ શોપિયામાં ડિસેમ્બર, 2018માં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટર દરમિયાન પણ આતંકીઓએ ચીનમાં બનેલી સ્ટીલ બુલેટનો ઉપયોગ કર્યો હતો. એન્કાઉન્ટરમાં જૈશનો કમાન્ડર નૂર મોહમ્મદ તાંત્રે ઉર્ફે પીર બાબા ઉર્ફે નૂરા ત્રાલી ઠાર મરાયો હતો. બુલેટપ્રુફ જેકેટ અને વાહનોને પણ વિંધી શકવામાં સક્ષમ છે આ સ્ટીલ બુલેટ પુલવામામાં જ્યારે આતંકીઓએ પહેલી વખત સ્ટીલ બુલેટનો ઉપયોગ કર્યો ત્યારે સુરક્ષા એજન્સીઓના હોશ ઉડી ગયા હતા.
આતંકીઓ દ્વારા છોડવામાં આવેલી સ્ટીલની ગોળીઓ સીઆરપીએફના એક અધિકારીની બુલેટપ્રૂફ જિપ્સીને વિંધીને અંદર બેઠેલા જવાનને લાગી હતી અને તે શહીદ થયો હતો. રાજ્ય પોલીસનાં એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, આતંકીઓ પાસે સ્ટીલની બુલેટ હોય તે બહુ ખતરનાક વાત છે. આતંકીઓ કોઈ વીઆઈપીને નિશાન બનાવવા માટે આ બુલેટનો ઉપયોગ કરી શકે છે. તેની સામે લડવા માટે હવે અમે ખાસ લોકોની સુરક્ષા વ્યવસ્થા વધારવા ઉપરાંત આતંક વિરોધી અભિયાન દરમિયાન અમલમાં મૂકાતી રણનીતિમાં જરૂરી સુધારા સહિતના પગલાં ભર્યા છે.