જમ્મૂ-કાશ્મીરને લઇને કેન્દ્રની મોદી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મૂ-કાશ્મીરને લઇને સરકારનો સંકલ્પ પત્ર રજૂ કર્યો. અમિત શાહે કહ્યું કે કાશ્મીરમાં વિશેષ દરજ્જો આપનાર કલમ-370 હટાવી દેવામાં આવ્યો છે. અમિત શાહે કાશ્મીરના પૂનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
અડવાણીએ મોદી સરકારના નિર્ણયને આવકાર્યો
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જમ્મૂ-કાશ્મીરને લઇને મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયને આવકાર્યો છે. લાલકૃષ્ણ અડવાણીએ કલમ-370 હટાવવાના નિર્ણયથી ખુશ છું, સરકારનું આ પગલું સરાહનીય છે. અડવાણીએ પીએમ મોદી અને અમિત શાહને શુભેચ્છા પાઠવી છે.
1947માં ભારત સાથે આવવાનો નિર્ણય ખોટો, 370 હટાવવું ગેરબંધારણીયઃ મહેબુબા
જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના અધ્યક્ષ મહેબૂબા મુફતીએ સંસદમાં ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ થોડી જ મિનીટમાં ટવિટ કર્યું હતું. મહેબુબાએ જણાવ્યું કે ભારતીય લોકશાહી માટે સૌથી મોટો કાળો દિવસ છે. જમ્મૂ-કાશ્મીરના નેતૃત્વએ 1947માં ભારત સાથે જવાનો નિર્ણય લીધો હતો, તે ખોટો સાબિત થયો. ભારત સરકાર દ્વારા 370 કલમ હટાવવાનો નિર્ણય ગેરબંધારણીય છે.
Today marks the darkest day in Indian democracy. Decision of J&K leadership to reject 2 nation theory in 1947 & align with India has backfired. Unilateral decision of GOI to scrap Article 370 is illegal & unconstitutional which will make India an occupational force in J&K.
કલમ 370 હટાવવા મુદ્દે ઉદ્ધવ ઠાકરેની પ્રતિક્રિયા
કલમ 370 હટાવાના કેન્દ્રની મોદી સરકારના નિર્ણયને લઇ શિવસેનાએ ઉજવણી કરી હતી. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો આજે બાલા સાહેબ હોત તો ખુબજ ખુશ થાત. દેશ આ ક્ષણની રાહ જોઇ રહ્યો હતો. સરકાર જે નિર્ણય કર્યો છે તે ખુબ જરૂરી હતો. આ સમયે રાજનીતિ ન કરી દેશ માટે સમર્થન કરવું જોઇએ. ઉધ્ધવ ઠાકરેએ મીઠાઇ વહેંચી.
Mumbai: Sweets distributed by Shiv Sena Chief Uddhav Thackeray, after resolution revoking Article 370 from J&K was moved by Union Home Minister Amit Shah in Rajya Sabha today. pic.twitter.com/iw2ANe9rRt
જમ્મૂ-કાશ્મીરમાંથી 370 કલમ હટી ગયા બાદ હવે અન્ય રાજ્યોની જેમ જમ્મૂ કશ્મીરમાં કેન્દ્રના કાયદા લાગૂ થશે.
સંઘ અને સમવર્તી યાદી હેઠળ આવનારા વિષયો પર કેન્દ્રનો કાયદો લાગૂ પડશે.
જેમાં નાગરિકતા, મિલકત અને મૌલિક અધિકાર કેન્દ્ર સરકારના અધિકારી ક્ષેત્રમાં આવી જશે.
કોઈ કાયદો બનાવતાં પહેલા રાજ્ય સરાકારની અનુમતી નહી લેવી પડે.
જમ્મૂ-કાશ્મીરમાં અન્ય રાજ્યના નાગરિકો જમીન ખરીદી શકશે.
રાજ્યના નાગરિકો પાસે હવે માત્ર ભારતની નાગરિકતા રહેશે.
જમ્મૂ-કાશ્મીરમાં અન્ય રાજ્યના નાગરિકો પણ સરકારી નોકરી મળશે.
જમ્મૂ-કાશ્મીર હવે દિલ્હી જેવું રાજ્ય બની જશે...
મોદી સરકારના આ નિર્ણય બાદ જમ્મૂ-કાશ્મીરને બીજા રાજ્ય જેમ વધારે અધિકાર પૂર્ણ જ નહી પરંતુ ઓછા પણ કરી દેવામાં આવ્યાં. જમ્મૂ-કાશ્મીર હવે દિલ્હીની જેવું રાજ્ય બની જશે. જમ્મૂ-કાશ્મીરમાં હવે ચૂંટણી થશે અને સરકાર પર બનશે, પરંતુ રાજ્યપાલ અંતિમ નિર્ણય લેશે. દિલ્હીની જેમ જે પ્રકારે સરકારે બધી મંજૂરી ઉપરાજ્યપાલ પાસેથી લેવી પડે છે તેમ જમ્મૂ-કાશ્મીરમાં પણ એ રીતની સરકાર બનશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો એ આદેશ જેને કાશ્મીરમાંથી હટાવી કલમ-370
જમ્મૂ-કાશ્મીરને લઇને મોદી સરકારે ઐતિહાસિક પગલું લીધુ છે. જમ્મૂ-કાશ્મીર હવે એક કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. આ સાથે ઘાટીમાંથી 370 દ્વારા મળતો વિશેષાધિકાર હવે નહીં મળે. આ સિવાય કેન્દ્ર સરકારે લદ્દાખને જમ્મૂ-કાશ્મીરથી અલગ કરી દીધુ છે. આમ હવે લદ્દાખ હવે એક અલગ રાજ્ય હશે.
બસપાએ પ્રસ્તાવને આપ્યું સમર્થન
જમ્મૂ-કાશ્મીર આરક્ષણ અને પૂનર્ગઠન બિલને બસપાએ સમર્થન આપ્યું છે. સપાના રામગોપાલે તેને ગેરબંધારણીય બતાવતાં કહ્યું કે જો તમે બે ભાગમાં અલગ કરો છો તો જમ્મૂ-કાશ્મીરમાં આરક્ષણ કેવી લાગુ થશે. કોંગ્રેસ અને ટીએમસી આ બિલના વિરોધમાં છે.
ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મૂ-કાશ્મીરને લઇને સરકારનો સંકલ્પ પત્ર રજૂ કર્યો. જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી.