જમ્મુ કાશ્મીરમાં શનિવારે સવારે ત્રણથી ચાર વિસ્તારમાં ભારે અથડામણના સમાચાર આવ્યા છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં કુલ ચાર આંતકી સુરક્ષા દળોને પતાવી દેવામાં આવ્યા છે.
જમ્મુ કાશ્મીરમાં ભારે અથડામણ
આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર
4 આતંકીઓને પતાવી દીધા
જમ્મુ કાશ્મીરમાં શનિવારે સવારે ત્રણથી ચાર વિસ્તારમાં ભારે અથડામણના સમાચાર આવ્યા છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં કુલ ચાર આંતકી સુરક્ષા દળોને પતાવી દેવામાં આવ્યા છે. કાશ્મીરમાં આઈજીપી વિજય કુમારે શનિવારે સવારે કહ્યું કે, અમને કાલ કાચચે 4-5 સ્થાનો પર જોઈન્ટ ઓપરેશન શરૂ કર્યું હતું. પુલવામામાં અત્યાર સુધીમાં 1 પાકિસ્તાની સહિત જેમના 2 આતંકવાદી ઠાર કરવામાં આવ્યા છે. તો વળી લશ્કરના એક આતંકવાદી ગાંદરબલ અને હંદવાડામાં મારી નાખ્યા છે. હંદવાડા અને પુલવામામાં અથડામણ ખતમ થઈ ગઈ છે. એક આતંકવાદીને જીવતો પકડવામાં આવ્યો છે.
Jammu & Kashmir | An encounter breaks out at Serch area of Ganderbal. Police and security forces are on the job. Further details awaited: Police
હંદવાડામાં શનિવાર રજવાડા વિસ્તારમાં નેચામામાં અથડામણ શરૂ થઈ ગઈ હતી. આ અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. તેની જાણકારી જમ્મુ કાશ્મીર પોલીસને આપવામાં આવી હતી, જ્યારે ગાંદરબળ એન્કાઉંટરમાં પ્રતિબંધિત આંતકી સંગઠન લશ્કર એ તૈયબાનો એક આતંકી ઠાર કરવામાં આવ્યો હતો, ગાંદરબળના સેરચ વિસ્તારમાં અથડામણ ચાલી રહી હતી.
Jammu & Kashmir | An encounter broke out at Serch area of Ganderbal earlier this morning; one terrorist of LeT killed. Police and security forces are carrying out the operation.
આ પહેલા કાલે એટલે કે, શુક્રવારે પુલવામામાં આયોજીત આંતકીઓ અને સુરક્ષદળોની વચ્ચે અથડામણ થઈ હતી. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પુલવામા અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના એક આતંકીને મારી નાખવામાં આવ્યો હતો. પુલવામામાં ચાલી રહેલી અથડામણને જોતા પ્રશાસને પુલવામાં અને શોપિયામાં સાવધાનીના ભાગરૂપે મોબાઈલ ઈન્ટરનેટ સેવાને બંધ કરી દીધી હતી. આ ઉપરાંત શ્રીનગર-બનિહાલ રેલ સેવા પણ રોકી દેવામાં આવી હતી. અથડામણ સમાપ્ત થયા બાદ હવે તેને ફરીથી ચાલુ કરી દેવામાં આવી છે. અથડામણના સ્થળ પરથી બે આતંકીઓના શબ મળી આવ્યા છે, ઉપરાંત ભારે માત્રામાં હથિયારો અને દારૂગોળા પણ મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, સૂચના મળતા જ તુરંત બાદ સેનાની 55 આરઆર, એસઓજી તથા સીઆરપીએફની 182 બટાલિયનના જવાનો પોતાના સાથે લઈને આ ગામમાં પહોંચી ગયા હતા.
આ મહિનામાં ત્રણ સરપંચોની હત્યા
આતંકીઓએ આ મહિનામાં અત્યાર સુધીમાં ત્રણ પંચાયતના સરપંચોની હત્યા કરી દીધી છે. આ પહેલા નવ માર્ચે શ્રીનગરના ખોનમુહમાં આતંકીઓએ ઘરમાં ઘુસીને પીડીપી સરપંચ સમીર અહમદ ભટની હત્યા કરી દીધી હતી. બે માર્ચે કુલગામ જિલ્લાના કુલપોરા સરાંડ્રો વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર પંચ મોહમ્મદ યાકૂબ ડારને ગોળી મારીને પતાવી દીધો હતો. તેમને ઘરની બહાર જ ગોળીઓ મારી દેવામાં આવી હતી.