જમ્મૂ-કાશ્મીરના કુલગામના ગોપાલપોરા ગામમાં મંગળવાર મોડી રાતથી સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ હતી. આ અથડામણમાં 34 રાષ્ટ્રીય રાઇફલ્સ અને એસઓજીના જવાન સંયુક્ત રીતે ઓપરેશન ચલાવી રહ્યાં છે. કુલગામના એસએસપીએ બે થી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
કુલગામના ગોપાલપોરામાં મોડી રાતથી સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ ચાલુ છે. સુરક્ષાબળ દ્વારા આતંકીઓને કરારો જવાબ આપવામાં આવી રહ્યો છે. જેમાં સુરક્ષાબળને સફળતા પણ મળી છે જેમાં બે આતંકીઓને ઠાર માર્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી સતત સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણની ઘટના સામે આવી રહી છે.
કેટલાંક દિવસ પહેલા જ જમ્મૂ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયાં હતા. જમ્મૂ-કશ્મીરમાં આજે પણ દિવસની શરૂઆત સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણથી થઈ છે. કુલગામના ગોપાલપુરમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે.
જેમાં સુરક્ષાબળને એક આતંકીઓને ઠાર મારવામાં પણ સફળતા મળી છે. આ આતંકીઓ સાથે અથડામણ બાદ સુરક્ષાબળે સમગ્ર વિસ્તારને ઘેર્યો છે. સુરક્ષાબળે સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યુ છે. અન્ય આતંકીઓ છૂપાયા હોવાની આશંકાના પગલે આતંકીઓનો ખાતમો બોલવવા માટે સુરક્ષાબળે કાર્યવાહી હાથ ધરી છે.