જમ્મુ કાશ્મીરમાં લાગેલા પ્રતિબંધ બાદ 15 ઓગસ્ટ બાદ રાહત મળી શકે છે. રાજ્યપાલ મલિકે જાણકારી આપતા જણાવ્યું છે કે હાલમાં ઇન્ટરનેટ અને ફોન સેવામાં રાહત મળવામાં સમય લાગે તેમ છે.
આર્ટિકલ 370 હટાવ્યા બાદથી રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડક છે અને ફોન અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. રાજ્યપાલે જણાવ્યું કે સ્વતંત્રતા દિવસ પર તેમાં રાહત મળી શકે છે. ફોન અને ઇન્ટરનેટથી લોકો અફવાઓ ફેલાવી શકે છે માટે તેને હજુ પણ થોડા દિવસ બંધ રાખવામાં આવે તેવી શક્યતા છે. મલિકે કહ્યું કે અમે દુશ્મનને હથિયાર ત્યાં સુધી નહીં આપીએ જ્યાં સુધી ચીજો સામાન્ય ન બને. એક અઠવાડિયું થાય કે 10 દિવસ બધું ઠીક થશે ત્યારે સંપર્કની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે.
તેઓએ રાહુલગાંધીને વખોડતા કહ્યું કે તેમની પાસે જાણકારીનો અભાવ છે અને સાથે વાયનાડની સંસદ સીમાની પણ વાત કરી. રાહુલને કાશ્મીર બોલાવવાનું નિમંત્રણ પણ પાછું લઈ લેવામાં આવ્યું છે. તેઓએ કહ્યું કે રાહુલ ગાંધી પહેલા આવે અને સ્થિતિ જાણે પછી કોઈ નિવેદન આપે. આ સમયે પ્રત્યુત્તર આપતાં રાહુલે કહ્યું કે તેમને વિશેષ વિમાનની નહીં પણ ફરવાની આઝાદીની જરૂર છે. વિપક્ષી નેતાઓનાા એક પ્રતિનિધિમંડળ સાથે તેઓ આવશે.
મલિકે કહ્યું કે મેં તેમને અહીં આવીને જાતે સ્થિતિ જોવાનું કહ્યું પણ તેઓએ સામે શરત રાખી કે તે મંત્રીમંડળની સાથે આવવા ઈચ્છે છે અને બંદી બનાવેલા નેતાઓે પણ મળવાની ઇચ્છા છે તો તે શક્ય નથી. મેં તેમને કોઈ પણ શરત વિના બોલાવ્યા છે. માટે હું નિમંત્રણ પાછું લઉં છું.